ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
વિજ્ઞાનીઓએ તે માટે જાડા અનાજમાં પાંચ ટકા તુલસી પાઉડરનો પ્રયોગ કર્યો, જેના કારણે બિસ્કિટ અને કેકમાં ન્યૂટ્રિશિયન વેલ્યૂ ખૂબ જ વધી ગઇ છે. આ રિસર્ચ કરનાર વિજ્ઞાની ડો.સરોજ દિહયા અને સિનિયર રિસર્ચ ફેલો સુમને જણાવ્યું કે તુલસી મિક્સ કરેલાં ઉત્પાદનનો પ્રયોગ કરવાથી ડાયાબિટીસ, કેન્સર અને હૃદય સંબંધી બીમારીઓ રોકવામાં મદદ મળશે. કુપોષણની સમસ્યા હોય તો રોજ આ ઉત્પાદનોનું સેવન કરવાથી આ સમસ્યા પણ રોકી શકાશે.
ડો.દહિયાએ જણાવ્યું કે એક વર્ષ પહેલાં આ રિસર્ચ શરૂ થયું હતું તે હજુ સુધી ચાલુ છે. તેને ખૂબ જ પ્રશંસા મળી છે. ઉદ્દેશ એ છે કે આ પ્રકારે ઉત્પાદન બનાવવાનું શીખીને મહિલાઓ અને ખેડૂતો પોતાના બિઝનેસની શરૂઆત કરે. તેમણે કહ્યું કે ઘણી મહિલાઓ અને ખેડૂતો આ માટે અમારી પાસે આવી રહ્યા છે. તેમને ખૂબ જ જલ્દી ટ્રેનિંગ અપાશે, જેથી આ ઉદ્દેશ પૂરો કરી શકાય.
જવ, જુવાર, બાજરી અને ચણાદાળ સાથે તુલસી મિક્સ કરાશે
ADVERTISEMENT
60 ટકા બાજરી, 10 ટકા જુવાર અને જવ, 15 ટકા ચણાદાળનું મિશ્રણ કરીને તેમાં તુલસીનાં પત્તાંને સૂકવીને તૈયાર કરેલો પાઉડર મિક્સ કરવામાં આવ્યા. આ મિશ્રણ સાથે પાંચ ટકા તુલસી પાઉડર ભેળવવામાં આવશે. ત્યારબાદ બનેલાં કેક અને બિસ્કિટ ટેસ્ટ કરવામાં આવ્યાં તો જાણવા મળ્યું કે તેની ન્યુટ્રિશિયન વેલ્યૂ અનેકગણી વધી ગઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો