કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેટલાય કેસો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના નાગોથાનેમાં 69 વર્ષના વ્યક્તિનું આ મહામારીને કારણે મૃત્યુ નીપજ્યું હતું. રાજ્યમાં આ નવા વેરિએન્ટથી મૃત્યુનો ત્રીજો મામલો સામે આવ્યો છે.
કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટે વધારી ચિંતા
વધુ એક દર્દીના મોતથી મચ્યો હડકંપ
નવા વેરિયન્ટથી અત્યાર સુધીમાં 3 લોકોના મોત
ડેલ્ટા પ્લસ (AY.1), ડેલ્ટા (B.1.617.2) નો એક પ્રકાર છે. આ વેરિએન્ટ જલ્દીથી ફેલાય છે. સાથે જ તે ઘાતકી પણ છે. કોરોનાની બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં આ વેરિએન્ટની પુષ્ટિ થઇ હતી. જૂનમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વેરિએન્ટને 'સબ્જેક્ટ ઓફ કન્સર્ન' તરીકે ઘોષિત કર્યો હતો.
22 જુલાઈએ થયું હતું મૃત્યુ
વ્યવસાયે પત્રકાર આ રોગથી પીડિત માણસને લગભગ 17 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. સિવીલ હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. અંતમાં 22 જુલાઈએ તેમનું મૃત્યુ થયું હતું.
પહેલા પણ થયાં હતા મોત
સિવિલ સર્જન ડો. સુહાસ માનેએ જણાવ્યું કે મે મહિનામાં દર્દીને વેક્સીન લગાવાઈ હતી. ડેલ્ટા પ્લસ સંક્રમણથી જોડાયેલી મહારાષ્ટ્રમાં ત્રીજું મૃત્યુ થયું. પહેલી રત્નાગીરીની 63 વર્ષની મહિલા અને બીજી મુંબઈમાં 63 મહિલા હતી.
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી વધી ચિંતા
અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત 65 દર્દીઓ નોંધાયા છે, દરેક જિલ્લાને જીનોમ સિક્વન્સિંગ માટે દર મહિને 100 નમૂના મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. જુલાઈમાં રાયગઢથી મોકલવામાં આવેલા લોકોના નમૂનામાં પત્રકારનો નમૂનો પણ સામેલ કરવામાં આવ્યો હતો.
વેક્સિન લીધી છતાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો બન્યા ભોગ
એક અન્ય દર્દી કે જે 44 વર્ષના શિક્ષક છે, એ પણ ડેલ્ટા પ્લસ સંક્રમણથી સંક્રમિત થયા હતા. એપ્રિલ મહિનામાં તેમને વેક્સીન પણ લગાવી હતી. ઓપીડીમાં એમનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. તેઓ કોઈ જટિલતાઓ વગર સ્વસ્થ થઈ ગયા.
રાયગઢના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે પત્રકારના પરિવારના ચાર સદસ્ય સહીત કુલ પાંચ લોકો તેમના સંપર્કમાં હતા. રાયગઢના જીલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડો સુધાકર મોરેએ કહ્યું, " અમે જીનોમ સિક્વન્સિંગ માટે તેમના સેમ્પલ મોકલ્યા છે. પરંતુ, તેમાંથી કોઈને પણ ગંભીર બીમારી નથી અને બધા ઘરે ઠીક થઇ જશે."