બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:41 PM, 10 January 2025
હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ્યા પછી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. પછી દાન કરવામાં આવે છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે આ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
પંચાંગ અનુસાર આ વખતે ભગવાન સૂર્ય 14 જાન્યુઆરીએ સવારે 9.03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી આ દિવસે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. દેશના દરેક રાજ્યમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દરેક રાજ્યમાં મકરસંક્રાંતિ અલગ-અલગ રૂપ અને પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. આવો જાણીએ ક્યા રાજ્યમાં મકર સંક્રાંતિ કયા સ્વરૂપમાં અને કઈ પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે.
ગુજરાત
ADVERTISEMENT
ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ બે દિવસ ચાલે છે. ગુજરાતમાં ઉત્તરાયણ પર પતંગોત્સવ યોજાય છે. મોટાભાગના પરિવારો આ બે દિવસ દરમ્યાન ધાબા પર જ જોવા મળે છે.. ધાબા પર તલસાંકળી અને મોટા બોર ઉત્તરાયણમાં ખાસ ખવાતા હોય છે. જ્યારે ઘરોમાં રસોઇમાં મોટેભાગે આ દિવસે લોકો શાકમાં ઉંધીયુ ખાતા હોય છે.
તમિલનાડુ
ADVERTISEMENT
ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તેનું સ્વરૂપ અને પરંપરાઓ અલગ છે. તમિલનાડુમાં મકરસંક્રાંતિને પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. પોંગલનો તહેવાર ચાર દિવસ સુધી ચાલે છે. પોંગલ દરમિયાન ખેડૂતો તેમના બળદને શણગારે છે અને તેમની પૂજા કરે છે. ઉપરાંત, પોંગલ પર કૃષિ સંબંધિત અન્ય વસ્તુઓની પૂજા કરવામાં આવે છે. આ તહેવારને કૃષિ ઉત્પાદકતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ
ADVERTISEMENT
કેરળમાં મકર સંક્રાંતિનું નામ મકર વિલક્કુ છે. આ દિવસે સબરીમાલા મંદિર પાસે આકાશમાં મકર જ્યોતિ દેખાય છે. લોકો તેની મુલાકાત લે છે. જ્યારે કર્ણાટકમાં આ તહેવાર ઈલુ બિરોધુ તરીકે ઓળખાય છે. અહીં આ દિવસે મહિલાઓ ઓછામાં ઓછા 10 પરિવારો સાથે શેરડી, તલ, ગોળ અને નાળિયેરમાંથી બનેલી વસ્તુઓની આપ-લે કરે છે. આંધ્રપ્રદેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ પર, જૂની વસ્તુઓ ફેંકી દેવામાં આવે છે અને નવી વસ્તુઓ અહીં લાવવામાં આવે છે.
પંજાબ, એમ.પી
ADVERTISEMENT
પંજાબમાં મકરસંક્રાંતિને માઘી તરીકે ઉજવવામાં આવે છે. માઘી પર શ્રી મુક્તસર સાહિબ ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીં લોકો આ દિવસે નૃત્ય કરે છે અને પરંપરાગત ગીતો ગાય છે. અહીં આ દિવસે ખીચડી, ગોળ અને ખીર ખાવાની પરંપરા છે.
આ પણ વાંચોઃ ચાઇનીઝ દોરી વાપરતા પહેલા ચેતજો, ભૂલ કરી તો જેલની હવા ખાવાનો વારો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.