બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:56 AM, 13 September 2025
આગામી રવિવાર 14 સપ્ટેમ્બરના રોજ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ માટે ટીમ ઇન્ડિયાની હજુ સુધી જાહેરાત નથી કરાઈ. જેમાં ભારતીય ટીમમાં પાંચ પ્લેયર્સ એવા છે જેમને આજ સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ નથી રમી. આ પ્લેયર્સને 14 સપ્ટેમ્બરે યોજાનારી મેચમાં પાકિસ્તાન સામે રમવાનો મોકો મળી શકે છે.
ADVERTISEMENT
વર્ષ 2012-13 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય સિરીઝ નથી રમાઈ. આ બંને ટીમો વચ્ચે ક્રિકેટ મેચ માત્ર આંતરરાષ્ટ્રીય (ICC) અને એશિયન (ACC) ઇવેન્ટ્સમાં જ યોજાય છે. જેથી ભારતીય ટીમમાં સામેલ થયેલા યંગસ્ટર્સ આજદિન સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ રમી શક્યા નથી. આ પ્લેયર્સમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન અને જીતેશ શર્મા, તિલક વર્મા અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ભારતના આ પાંચ પ્લેયર્સમાંથી ત્રણ પ્લેયર્સને એશિયા કપના પહેલી મેચમાં રમવાનો મોકો મળ્યો હતો. UAE સામેની પ્લેઇંગ ઇલેવનમાં અભિષેક શર્મા, તિલક વર્મા અને સંજુ સેમસનનો સમાવેશ કરાયો હતો. જો ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામેની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે તો 14 તારીખે આ પ્લેયર્સ પાકિસ્તાન સામે તેમના કરિયરની પહેલી મેચ રમશે. તો રિંકુ સિંહ અને જીતેશ શર્માને ટીમમાં કદાચ ચાંસ મળી પણ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.