બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / There are 3 temples in the country where luck is changed only by darshan

ધર્મ / દેશના 7 એવા મંદિરો જ્યાં માત્ર દર્શન કરવાથી બદલાઈ જાય છે કિસ્મત

Intern

Last Updated: 11:56 AM, 14 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક માન્યતાઓ અનુસાર મંદિરોનું ખુબ જ મહત્વ હોય છે. ભારતમાં ઘણાં એવા મંદિરો છે જ્યાં માત્ર દર્શન કરવાથી બધી જ પ્રકારની સમસ્યાઓ દુર થઈ જાય છે. અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આજ અહી એવા કેટલાક પ્રમુખ મંદિરોની જાણકારી આપવાના છીએ.

૧. સિદ્ધી વિનાયક મંદિર ( મુંબઈ )
મહારાષ્ટ્રમાં એક એવું મંદિર જ્યાં ગણપતિ બાપ્પાની સામે બેસીને લખવાથી અથવા તેમના કાનમાં બોલવાથી પોતાની દરેક મનોકામના પૂરી થાય છે. એવું અહીં આવનારા ભક્તોની માન્યતા છે.

૨. બાબા વિશ્વનાથ મંદિર ( વારાણસી )


કાશીને ભગવાન શિવની નગરી માનવામાં આવે છે. શિવની આ મંદિર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.  આ 12 જ્યોર્તિલિંગમાંથી માત્ર આ એક જ એવું મંદિર છે. જ્યાં ભક્તોએ બાંધેલા દોરા બંધયેલા જ રહે છે.

૩. તિરુપતિ બાલાજી ( આંધ્રપ્રદેશ )


તિરુપતિ બાલાજી ભારતના પ્રસિદ્ધ મંદિરો માંથી એક છે. આંધ્રપ્રદેશમાં સ્થિત આ મંદિરમાં રોજે ભક્તોની ભીડ એટલી હોઈ છે. સમુદ્ર તલથી ૩૨૦૦ ફીટની ઊંચાઈ પર સ્થિત વેંકટેશવરની મૂર્તિ અહી સૌનું આકર્ષણનું કેન્દ્ર છે.

૪. મહાકાલેશ્વર મંદિર ( ઉજ્જૈન )


કાળોનાં કાળ મહાકાળની નગરી એટલે ઉજ્જૈન. ભારતમાં ઉજ્જૈનનું ખુબ જ મહત્વ છે. અહી આરતી દરમિયાન પુજારી એક વસ્ત્ર ધોતીમાં જ હોય છે. આ આરતીમાં અન્ય વસ્ત્રો ધારણ કરવાનો કોઈ નિયમ નથી. મહાકાલની આરતી ભસ્મ થાય એવી અહીની માન્યતા છે. મહાકાલ શ્મશાનના સાધક છે અને તે જ તેમનો શૃંગાર અને આભુષણ છે તેવી ભક્તોની માન્યતા છે.

૫. રામેશ્વર ( તમીલનાડુ )


દક્ષીણ ભારતમાં રામેશ્વરને હિંદુ ધર્મનું સૌથી ધાર્મિક સ્થાન માનવામાં આવે છે. રામેશ્વર હિંદુ ધર્મના બધા જ તીર્થોમાં કરતા વધારે પવિત્ર છે. વધારે પવિત્ર એટલા માટે માનવામાં આવે છે. કારણ કે અહી પ્રકુતિ ખુબ જ સુંદર છે.


૬. શ્રી બાલાજી મંદિર ( મહેંદીપુર )


રાજસ્થાનમાં દૌસા જીલ્લામાં મહેન્દીપુર નામનું એક પાવન સ્થળ છે. આ સ્થળ પર હનુમાનજી પોતાના બાળ રૂપમાં બિરાજમાન છે. મહેન્દીપુરમાં હનુમાનજી પ્રધાન દેવ છે અને શ્રી ભૈરવ બાબા અને શ્રી પ્રેતરાજ સરકાર બાલાજી મહારાજના સહાયક દેવ છે. શ્રી બાલાજી મહારાજના આ પાવન તીર્થ પર જે પણ જાય છે તેમની મનોકામના પૂરી થાય છે. હનુમાનજીના આ દરબારમાંથી  કોઈ ખાલી હાથે પાછું નથી જતું.

૭. વૈષ્ણવ દેવી ( કટ્ટરા, જમ્મુ કશ્મીર )


માતા વૈષ્ણવ દેવીની મહિમા અપરંપાર છે. નવા વર્ષમાં તમે પણ માતા રાણીના દર્શન કરવા જાવ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો. અને આ જ સમયે તમને પ્રાચીન ગુફામાં દર્શન કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે.      
 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Temple ધર્મ ધર્મ દર્શન Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ