બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / દુનિયાની સૌથી મોટી 'મચ્છર ફેક્ટરી', ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવી બીમારીથી બચાવશે, જાણો કેવી રીતે
Last Updated: 01:19 AM, 22 September 2025
વિશ્વભરમાં જ્યાં મચ્છરોને મારવા માટે ઉપાય કરવામાં આવી રહ્યા છે ત્યાં બ્રાઝિલ મચ્છરોની ફેક્ટરીઓ સ્થાપી રહ્યું છે. આ મચ્છરની ફેક્ટરીમાં લાખો મચ્છરના લાર્વા પેદા કરાશે અને પછી તેમાંથી મોટા મચ્છરોમાં તૈયાર કરાશે. પરંતુ બ્રાઝિલ આ લાખો મચ્છરોનું શું કરશે ચાલો તે વિશે જાણીએ.
ADVERTISEMENT
બ્રાઝિલે લાખો લોકોને ગંભીર બીમારીથી બચાવવા માટે વિશ્વની સૌથી મોટી મચ્છર ફેક્ટરી સ્થાપી રહી છે. એવો દાવો છે કે આ મચ્છર બ્રેક બોન ફીવર અને ડેન્ગ્યુ જેવા જીવલેણ બીમારીથી બચાવશે. આ મચ્છરજન્ય બીમારી દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકોને અસર પહોંચાડે છે. આથી બ્રાઝિલે વોલ્બાચિયા બેક્ટેરિયાથી સંક્રમિત મચ્છરોના સંવર્ધન માટે આ બાયોફેક્ટરી બનાવી છે. દાવા મુજબ આ પદ્ધતિ આગામી વર્ષોમાં દેશભરમાં આશરે 14 કરોડ લોકોને ડેન્ગ્યુથી બચાવવા માટે તૈયાર હશે.
ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલે કુરિતિબામાં વોલ્બિટો ખાતે બે મચ્છર પ્લાન્ટ શરૂ કર્યા છે. બ્રાઝિલમાં આવા બીજા પ્લાન્ટ પણ બનાવવામાં આવશે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયના સમર્થન સાથે વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામ, ઓસ્વાલ્ડો ક્રુઝ ફાઉન્ડેશન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોલેક્યુલર બાયોલોજી ઓફ પારાના વચ્ચેનું આ જોઈન્ટ વેન્ચર અઠવાડિયમાં 10 કરોડ મચ્છરના ઇંડા બનાવી શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, વોલ્બાચિયા માત્ર જંતુના કોષોમાં રહે છે આથી જો જંતુ મરી જાય તો તે પણ મરી જાય છે. વોલ્બાચિયા કુદરતી રીતે 60 ટકાથી વધુ જંતુઓમાં જોવા મળે છે અને સદીઓથી તેને મનુષ્યો સાથે કોઈ સંપર્ક નથી કર્યો. WHO ના ડેટા મુજબ ગયા વર્ષે બ્રાઝિલમાં ડેન્ગ્યુથી 6297 લોકોના મૃત્યુ થયા હતા. ડેન્ગ્યુના તાવમાં તીવ્ર દુઃખાવો થાય છે. જે એડીસ એજીપ્ટી મચ્છરો દ્વારા ફેલાય છે જે દર વર્ષે લાખો લોકોમાં ઇન્ફેક્શન ફેલાવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.