બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અમદાવાદ / The work of 7000 houses of the Prime Minister Chief Ministers Housing Scheme has stopped
Kishor
Last Updated: 10:56 PM, 18 May 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ યોજનાના મકાનો આપવા માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવે છે. પરંતુ શહેરના સોલા, નારોલ, મોટેરા, નિકોલ સહિતના વિસ્તારોમાં બનાવવામાં આવેલા કુલ 7,000થી વધુ આવાસ યોજનાના મકાનોની કામગીરી કોન્ટ્રાક્ટરના કારણે બંધ પડી છે. કોન્ટ્રાક્ટર વંદેમાતરમ પ્રોજેક્ટ અને જ્યોતિ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરો દ્વારા 60 ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પરંતુ હવે કોન્ટ્રાક્ટર દ્વારા વધુ ભાવ વધારાની માંગણી કરવામાં આવતા કામગીરી બંધ પડી છે.
60 ટકાથી 90 ટકા સુધીની કામગીરી પૂર્ણ
7000 જેટલા આવાસ યોજનાના બંને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી. જેને વિચારણા હેઠળ બાકી રાખવામાં આવી છે. ભાજપના સત્તાધીશો દ્વારા હવે કોન્ટ્રાક્ટરોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કારણ કે 60 ટકાથી 90 ટકા સુધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ભાવ વધારા માંગવાના કારણે જો તેઓ કામગીરી બંધ રાખશે અને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તો નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરી અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે તો પણ વધુ ભાવ આપવા પડશે.
ભાજપના સત્તાધીશોથી કોન્ટ્રાક્ટર રિસાયા
મહત્વનું છે કે કોરોના કહેરને લઈને કામગીરી અગાઉથી જ વિલંબમાં હતી. ત્યારબાદ હવે ભાવ વધારાની માંગ સાથે કામગીરી બંધ કરી દેવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ મામલો વિચારણા માટે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. જેને લઈને હવે આગામી સમયમાં વિચારણા બાદ નિર્ણય કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime