બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LIST: અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા, ધજા ચઢાવવાનો લાગશે આટલો ચાર્જ
Last Updated: 10:19 AM, 2 August 2024
ઉત્તર ગુજરાતનાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અંબાજી શક્તિપીઠ ખાતે હવે ધજા ચઢાવવા માટે ચાર્જ લેવાનું મંદિરનાં ટ્રસ્ટ્રીગણ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે#ambaji #ambajitemple #Banaskantha #vtvgujarati #vtvcard pic.twitter.com/imJTNIdmZd
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 1, 2024
ધજા માટે અલગથી ચાર્જ નક્કી કરવામાં આવ્યા
ADVERTISEMENT
અંબાજી મંદિર ખાતે સુવર્ણ શિખર પર ધ્વજારોહણનું ખાસ મહત્વ હોય છે. અંબાજી શક્તિપીઠ ખાતે ધજા ચઢાવવા માટે દેશ-વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે. ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ શિખર પર ધડા ચડાવવા માટેની ધજા અંબાજી મંદિરેથી જ શાસ્ત્રોક્ત વિધિ તેમજ પૂજા સાથે ધ્વજા મળી રહશે. તેમજ આ ધજા માટે અલગથી ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
1 ઓગસ્ટથી ધ્વજારોહણનો નોમિનલ ચાર્જ દેવસ્થાન દ્વારા નક્કી કરાયો
1 ઓગસ્ટથી ધ્વજારોહણનો નોમિનલ ચાર્જ દેવસ્થાન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ભક્તોને ધ્વજા ટેમ્પલ ઈન્સ્પેક્ટરની ઓફીસથી જ મળી રહેશે. તેમજ સવારે 7 વાગ્યાથી બપોરનાં સાડાચાર વાગ્યા સુધી જ ધ્વજારોહણ કરી શકશે. તેમજ મંદિરમાં ભક્તો અલગ અલગ ગજની ધ્વજા પ્રમાણે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ધજાની પૂજા અર્ચનાં કરવામાં આવશે.
ADVERTISEMENT
5 મીટરથી 11 મીટર સુધીનાં ધજાનો ચાર્જ અલગ અલગ
5 મીટરની ધજાના રૂ.2100, 7 મીટરની ધજાના રૂ.2500, 9 મીટરની ધજાના રૂ.3100 અને 11 મીટરની ધજાના રૂ.5100 નો ભાવ નક્કી કર્યો છે, ધજાની પૂજા પણ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિમાયેલા બ્રાહ્મણો જ કરશે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ગુજરાતમાં 'ભારે'ની ભવિષ્યવાણી! આ જિલ્લાઓ માટે વોર્નિંગ જાહેર, આગાહી ધમધોકાર
ભાદરવી પૂનમે ધજા લઈને આવતા સંધોને આ વ્યવસ્થા લાગુ નહી પડે
ADVERTISEMENT
તેમજ ટ્રસ્ટ દ્વારા હાલ પુરતી જૂની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે. કોઇ પરિવાર પોતાના સાથે બ્રાહ્મણ લઇને આવે તો પૂજા કરી શકશે. ભાદરવી પૂનમના મેળામાં ધજા લઇને આવતાં સંઘોને આ વ્યવસ્થા લાગુ નહીં પડે, અંબાજી મંદિરે દરરોજ અંદાજે 25 ધજા ચઢાવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.