બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / the resignation of Mukhtar Abbas Naqvi Smriti Irani gets Minority Welfare Minister, Jyotiraditya Scindia gets the ministry of steel
ADVERTISEMENT
6 જુલાઈએ કેન્દ્રીય મંત્રી પીએમ મોદીએ મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે પરંતુ તેના એક દિવસ પહેલા તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં નકવીએ ભાગ લીધો હતો. કેબિનેટની બેઠક બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. જે બાદ નકવી પાસે રહેલા ખાતા અન્યને ફાળવી દેવામાં આવ્યા છે.
President of India, as advised by PM, accepts the resignations of Mukhtar Abbas Naqvi and Ram Chandra Prasad Singh from Union Council of Ministers, with immediate effect. Smriti Irani to be assigned Ministry of Minority Affairs charge, in addition to her existing portfolio. (1/2)
— ANI (@ANI) July 6, 2022
ADVERTISEMENT
સ્મૃતિ ઈરાની બન્યા લઘુમતી કલ્યાણ મંત્રી, જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલય મળ્યું
તે બાદ ભારતના રાષ્ટ્રપતિએ પીએમની સલાહ મુજબ, કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહના રાજીનામાને તાત્કાલિક અસરથી સ્વીકાર્યું છે. સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે RCP સિંહ પાસે રહેલું સ્ટીલ મંત્રાલય ખાતું જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન ખાતા ઉપરાંત વધારાનો હવાલા તરીકે સોંપી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Jyotiraditya Scindia to be assigned Ministry of Steel charge, in addition to his existing portfolio. (2/2)
— ANI (@ANI) July 6, 2022
ADVERTISEMENT
RCP સિંહે પણ આપ્યું રાજીનામું
મોદી કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા નકવીએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તે પછી તેમણે વિધિવત રીતે મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. બિહારમાંથી જેડીયુ ક્વોટાના મંત્રી આરસીપી સિંહે પણ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.
મોદી સરકારના બે મંત્રીઓનો કાર્યકાળ પૂરો
મોદી સરકારના બે મંત્રીઓના રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. જેમાં મુખ્તાર અબ્બાસ નકવી તેમજ જેડી(યુ) ક્વોટાના આરસીપી સિંહનો સમાવેશ થાય છે. બંને નેતાઓ 6 જુલાઈ પછી કોઈ પણ ગૃહના સભ્ય રહેશે નહીં.નકવીને ઉપરરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
લઘુમતી બાબતોના મંત્રી નકવી
નકવી મોદી સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી હતા. તેઓ પાર્ટીનો જાણીતો મુસ્લિમ ચહેરો છે અને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ તેમના કામથી ખુશ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમને કોઈ મોટી જવાબદારી મળે તેવું રાજકીય વર્તૂળમાં ચર્ચાઈ રહ્યું છે. તેઓ રાજીનામું આપતા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.