બ્રેકિંગ ન્યુઝ
KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત
કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
Last Updated: 11:25 PM, 30 April 2024
લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસાર સાથે-સાથે ભાજપમાં ભરતી મેળો પણ ચાલી રહ્યો છે. જેમાં આપ અને કોંગ્રેસના નેતાઓની ભરતી થઈ રહી છે. એટલે કે, આપ-કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પરંતુ તાજેતરમાં સુરતમાં થયેલા ભરતી મેળાથી વરાછાના ધારાસભ્ય નારાજ છે. કારણ કે, તેમાં 2022માં સામે ચૂંટણી લડનાર ભત્રીજાની એન્ટ્રી થઈ છે. આપણે વાત અલ્પેશ કથીરિયા અને કુમાર કાનાણીની કરી રહ્યા છે. અલ્પેશ ભાજપમાં જોડાયો ત્યારે કુમાર કાનાણી તેના કાર્યક્રમમાં હાજર ન રહ્યા. ત્યારે સિદ્ધાંતોની વાત કરી રહ્યા છે. ત્યારે એવા ક્યા સિદ્ધાંતોને કારણે કાનાણી અલ્પેશી ભરતીના કાર્યક્રમમાં હાજર ન રહ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાઈ ભત્રીજાનું સન્માન થતું હોય તો કાકા તેના કાર્યક્રમથી દૂર રહે..? ન જ રહે પરંતુ સુરતમાં આવું જ કાંઈક થયું. ભત્રીજો ભાજપમાં જોડાયો. અને કાકા કાર્યક્રમમાં ન આવ્યા. આપણે વાત અલ્પેશ કથીરિયાની કરી રહ્યા છીએ. જે ગત શનિવારે ભાજપમાં જોડાયો છે. પરંતુ આ કાર્યક્રમમાં આમંત્રીત હોવા છતાં કુમાર કાનાણી ન આવ્યા. અને પોતાની નારાજગી વ્યક્તિ કરી. નારાજગીના વાત આવે. તો 2022ની ચૂંટણી કેમ ભૂલાય. જ્યારે કાકાની સામે જ ભત્રીજો ચૂંટણીના મેદાનમાં ઉતર્યો હતો. અને કાકા પાસેથી જ જીતના આશિર્વાદ મેળવ્યા હતા. જોકે જીત તો ન થઈ. પરંતુ ચૂંટણી પ્રચારમાં કાકા-ભત્રીજા વચ્ચે તીખાવાર ખુબ થયા હતા. કુમાર કાનાણી ક્યા સિદ્ધાંતોની વાત કરે છે તે પણ જાણીશું.. પરંતુ તે પહેલા 2022ના ભાષણોની એક ઝલક જોઈ લો.
આવા તો અનેક ભાષણ 2022થી અત્યાર સુધીમાં સામ-સામે આવ્યા. તેવામાં ભાઈ થોડી નારાજગી તો રહેવાની. હવે વાત કાકા ભરતી મેળામાં એટલે કે, અલ્પેશ અને માલવીયા ભાજપમાં જોડાયા તે કાર્યક્રમમાં કેમ ન ગયા. તે મુદ્દાની વાત કરતા કાનાણીએ આ ભરતીને પોતાના સિદ્ધાંત વિરોધી ગણાવી. બીજી તરફ અલ્પેશ કહે છે કે, કાકા નારાજ છે. પરંતુ અમે મનાવી ફરી આશિર્વાદ મેળવીશું. એટલે કે, ભાઈને 2027માં કોઈ મોટી તકની લાલચ લાગે છે. જે યુવા ચહેરા પાટીદાર આંદેલનનાં પ્રણેતા હતા. જેમણે ભાજપમાં ક્યારેય ન જવાના સોગંધો ખાધા હતા. શહીદ પાટીદારોની વાતો કરતા હતા. આજે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. તે પછી હાર્દિક હોય, અલ્પેશ હોય કે, ધાર્મીક હોય. ત્યારે આ મુદ્દે મનોજ પનારા શું કહી રહ્યા છે.
વાંચવા જેવું: બનાસની બાજી: કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનું ક્ષત્રિય સમાજે ભર્યું મામેરું, જુઓ વીડિયો
સુરતમાં તો બિનહરિફ ઉમેદવાર ચૂંટાઈ ગયા છે. તો પછી કેમ અલ્પેશ અને ધાર્મીક ભાજપમાં સામેલ થયા. ભાજપને આ પાટીદાર નેતાઓની શું જરૂર પડી ગઈ છે. શું ભાજપનું લક્ષ્ય આવરાન કોર્પોરેશનની ચૂંટણી છે..? કે પછી 2027માં કાકાની ખુરશી ખતરામાં છે. હાલ તો આ મુદ્દે કાંઈ કહેવું મુશ્કેલ છે. પરંતુ કાકાની નારાજગી એંધાણ તો કાંઈક એવા જ આપી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT