ભારતીય ક્રિકેટ ટીમને ટૂંક સમયમાં નવો કોચ મળશ અને રવિ શાસ્ત્રીને વિદાય આપવામાં આવશે. ન્યૂઝીલેન્ડ સિરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ પાસે નવો કોચ હશે.
ભારતીય ક્રિકેટ ટીમને મળશે નવો કોચ
રવિશાસ્ત્રી હવે ટૂંક સમયમાં લેશે વિદાય
BCCI દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
બીસીસીઆઈ આ ઓક્ટોબર મહિનામાં ઘણું વ્યસ્ત રહેવાનું છે. આ મહિને ભારતીય બોર્ડ આઈપીએલમાં બે નવી ટીમો સામેલ કરવાની છે જેમા એક અમદાવાદની ટીમ પણ શામેલ થશે. જેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. જોકે સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે ટી -20 વર્લ્ડ કપ ટૂંક સમયમાં શરૂ થશે.
આ મહિનામા અંતમાં નવા કોચની જાહેરાક કરાશે
જોકે તે સિવાય BCCI નવા કોચની પણ શોધમાં છે. જેમા આ મહિનેજ ટીમને નવો કોચ આપવામાં આવશે જેને લઈને BCCI દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું થે આ મહિનાના અંત સુધીમાં નવા કોચ તેમજ અન્ય સ્ટાફની પણ નિમણૂંક કરી લેવામાં આવશે.
ન્યૂઝીલેન્ડ સીરીઝ પહેલા ભારત પાસે નવો કોચ
જોકે BCCIના એક અધિકારી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આ સપ્તાહના અંત સુધીમાંજ ભારતીય ટીમને નવો કોચ આપી દેવામાં આવશે. સમગ્ર મામલે તેમણે કામગીરી શરૂ કરી દીધી છે. અધિકારીના કહેવા પ્રમાણે ન્યૂઝીલેન્ડની સીરીઝ પહેલા ભારત પાસે નવો કોચ અને નવો સપોર્ટ સ્ટાફ હશે.
17 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે સીરીઝ
ઉલ્લેખનીય છે કે T-20 વર્લ્ડ કપના 3 દિવસ બાદ એટલે કે 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડની સામે સીરીઝ રમવાની શરૂ કરવામાં આવશે. રવિ શાસ્ત્રી હવે T-20 વર્લ્ડકપ બાદ નહી રહે. જેની જાણકારી તેઓ પોતે આપી ચુક્યા છે. ત્યારે ભારતીય ટીમના કોચ તરીકે કોની પસંદગી કરાવામાં આવશે તે જોવું રહ્યું.