બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / બાંધકામ તોડીને સામાન ગાડીમાં મૂક્યો પછી પાછો મૂક્યો, નેતાની ધાક સામે સુરત મનપા નતમસ્તક

નતમસ્તક / બાંધકામ તોડીને સામાન ગાડીમાં મૂક્યો પછી પાછો મૂક્યો, નેતાની ધાક સામે સુરત મનપા નતમસ્તક

Vishal Khamar

Last Updated: 07:00 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ભૂતિયા ડિમોલિશન બાદ હવે સુરત મહાનગર પાલિકા નવા વિવાદમાં સપડાઈ છે. જેમાં સુરત મનપા દ્વારા દબાણ કરેલ બાંધકામ તોડ્યા બાદ તેને લઈ ગયા હતા. જે બાદ થોડાક જ સમયમાં સમગ્ર સામાન પરત સરકારી ગાડીમાં મુકી જતા અનેક તર્ક વિતર્ક ઉભા થવા પામ્યા છે.

સુરત મહાનગરપાલિકા (SMC) ગેરકાયદેસર બાંધકામો સામેની કડક કાર્યવાહી માટે જાણીતી છે. જોકે, કતારગામ ઝોનમાં બનેલી એક ઘટનાએ મનપાની કામગીરી અને પારદર્શિતા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સિંગણપોર વિસ્તારમાં ગેરકાયદેસર પતરાંના બાંધકામ સામે કાર્યવાહી કર્યા બાદ જપ્ત કરાયેલ સામાન માત્ર 1 કલાક 51 મિનિટમાં જ ફરી તે જ સ્થળે પહોંચતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

લેખિત ફરિયાદ બાદ મનપાની કાર્યવાહી

મળતી માહિતી અનુસાર, સિંગણપોર ગામ સ્થિત પાલવ પાર્ક-2 સોસાયટીની બાજુમાં આવેલી કૃપા રેસિડેન્સીના ફ્લેટ નંબર 104માં ગેરકાયદેસર રીતે પતરાંનું બાંધકામ કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશ કિરણભાઈ સુમરાએ આ અંગે કતારગામ ઝોન કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 2 જૂન, 2026ના રોજ મનપાની ટીમ સરકારી વાહન અને મજૂરો સાથે સ્થળ પર પહોંચી હતી. ટીમે ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને પતરાંનો સામાન જપ્ત કર્યો હતો અને તેને સરકારી વાહનમાં ભરી લઈ ગઈ હતી.

CCTV ફૂટેજથી સામે આવી નવી હકીકત

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, સોસાયટીના CCTV ફૂટેજની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જપ્ત કરાયેલો સામાન થોડા જ સમયમાં પાછો તે જ સ્થળે મૂકી દેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે મનપા દ્વારા જપ્ત કરાયેલા સામાનને છોડાવવા માટે નિયમિત પ્રક્રિયા અને દંડ ભરવાની જોગવાઈ હોય છે. તેથી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.

રાજકીય જોડાણોની ચર્ચા

તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી કે જે ફ્લેટમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું તેની માલિકી ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાની હોવાનું કહેવાય છે. જોકે હાલ આ ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ કેસમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિના દબાણ હેઠળ કાર્યવાહી બાદ જપ્ત સામાન ઝડપથી પરત કરવામાં આવ્યો હતો? જોકે આ અંગે મનપા અથવા સંબંધિત રાજકીય નેતાઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

આ પણ વાંચોઃ ગોમતી ઘાટ પર શ્રદ્ધાળુઓના આ બે કામ માટે મૂકાયો પ્રતિબંધ, વૃદ્ધ દરિયામાં તણાયા બાદ તંત્ર એક્શનમાં

પારદર્શક તપાસની માંગ

આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાક સામાજિક કાર્યકરો અને રહીશો દ્વારા મનપા પાસે સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ CCTV ફૂટેજ અને કાર્યવાહી સંબંધિત દસ્તાવેજો જાહેર કરવા પણ માંગ કરવામાં આવી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય, તો સુરત મનપાની ગેરકાયદેસર બાંધકામો સામેની કડક છબીને મોટો ફટકો લાગી શકે છે. હવે સૌની નજર મનપાના સત્તાવાર જવાબ અને સંભવિત તપાસ પર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Babu Jebalia Surat Surat News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ