બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / The case of sending a Lewd Messages to the fiance reached the court, find out what the verdict was
ADVERTISEMENT

ADVERTISEMENT
લગ્ન પહેલા સ્ત્રીને અશ્લીલ સંદેશાઓ મોકલવા એ કોઈની ગરમિાનું અપમાન ન હોઈ શકે.
મુંબઈની એક અદાલતે લગ્નના વચન પર દુષ્કર્મના કેસમાં એક પુરૂષને નિર્દોષ જાહેર કરતાં કહ્યું છે કે, લગ્ન પહેલા સ્ત્રીને અશ્લીલ સંદેશાઓ મોકલવા એ કોઈની ગરમિાનું અપમાન ન હોઈ શકે. મુંબઈની એક સેશન કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, લગ્ન પહેલા મંગેતરને મોકલવામાં આવતાં આવા સંદેશાઓ એકબીજાની લાગણીઓ અને ખુશીઓને સમજવા માટે ગણી શકાય
ADVERTISEMENT
મહિલાએ તેના મંગેતર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો
તમને જણાવી દઈએ કે, 36 વર્ષીય યુવક પર તેની મંગેતર દ્વારા 11 વર્ષ પહેલા લગ્નના બહાને દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ બીજાને પસંદ ન કરે તો તે તેનો અધિકાર છે કે, તેની નારજગી સામેની વ્યક્તિ સુધી પહોંચાડે અને સામે પક્ષે આવી ભૂલથી બચવું જોઈએ. આ સંદેશાઓનો હેતુ મંગેતરની સામે તમારી ઈચ્છાઓ વ્યક્ત કરવાનો, સેક્સની લાગણી જગાડવો વગેરે હોઈ શકે છે, આ સંદેશાઓ મંગેતરને ખુશ પણ કરી શકે છે.પરંતુ એવું ન કહી શકાય કે આવા એસએમએસ કોઈની સાથે લગ્ન કરવા જઈ રહેલી મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડે છે.
ADVERTISEMENT
મહિલાએ 2010માં પુરુષ વિરુદ્ધ FIR નોંધાવી હતી.
નોંધપાત્ર વાત એ છે કે, મહિલાએ 2010માં પુરુષ વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ કપલ 2007માં એક વેડિંગ સાઇટ પર મળ્યા હતા. યુવકની માતા આ લગ્નની વિરુદ્ધ હતી. 2010માં યુવકે યુવતી સાથેના સંબંધોનો અંત આણ્યો હતો. કોર્ટે યુવકને નિર્દોષ જાહેર કરતાં કહ્યું હતું કે લગ્નનું વચન આપીને પીછેહઠ કરવી એ છેતરપિંડી કે બળાત્કાર ન કહી શકાય. કોર્ટે કહ્યું કે યુવક મંગળસૂત્ર લઈને આર્ય સમાજના હોલમાં ગયો હતો. પરંતુ લગ્ન પછીના ઝઘડા અને ત્યારપછીની પરિસ્થિતિઓને કારણે તેણે નિર્ણય પાછો લીધો અને તેની માતાને શરણે ગયો. યુવકે તેની માતાની ઇચ્છાનું પાલન કર્યું અને સમસ્યાનો સામનો કરવાને બદલે તેને ટાળવાનો પ્રયાસ કર્યો. આ લગ્નના ખોટા વચનનો મામલો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.