બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતોની આતુરતાનો અંત! આ તારીખે જાહેર થઈ શકે PM કિસાન યોજનાનો 21મો હપ્તો

તમારા કામનું / ખેડૂતોની આતુરતાનો અંત! આ તારીખે જાહેર થઈ શકે PM કિસાન યોજનાનો 21મો હપ્તો

Nirav Kumar

Last Updated: 04:45 PM, 9 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અમુક રાજ્યોના ખેડૂતોના ખાતામાં 21માં હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, પણ મોટા ભાગના રાજ્યોમાં હજુ પણ આ પૈસા આવવાના બાકી છે.

ભારતના ખેડૂતો હજુ પણ સમૃદ્ધ નથી થયા, આથી તેમને ખેતી માટે લોન પણ લેવી પડતી હોય છે. આથી આર્થિક રીતે કમજોર ખેડૂતોને સહાય આપવા સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરુ કરી હતી. જેમાં ભારત સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ 6000 રૂપિયા દર વર્ષે 2-2 હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

  • અમુક રાજ્યોમાં હપ્તો મોકલી દેવાયો
    આ યોજનામાં ભારત સરકારે અત્યાર સુધીમાં કુલ 21 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. પરંતુ 21મો હપ્તો ચાર પૂરગ્રસ્ત રાજ્યો જેમ કે, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એવામાં દેશભરના બીજા ખેડૂતોને સવાલ થઇ રહ્યો છે કે, સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો તેમના ખાતામાં ક્યારે ટ્રાન્સફર કરશે?

vtv app promotion
  • ક્યારે 21મો હપ્તો થશે લોન્ચ?
    આ અંગેના મીડિયા રિપોર્ટ મુજબ, ભારત સરકાર બિહાર ચૂંટણી બાદ નવેમ્બર મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો આપી શકે છે. બિહાર ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર થશે. પરંતુ હજુ સુધી તે અંગે કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી.
  • આ કામ ફરજીયાત
    જો તમે આ યોજનાનો 21મો હપ્તો મેળવવા માંગતા હોવ તો તમારે અમુક કામ પુરા કરેલા હોવા જરૂરી છે. જેમાં તમારે e-KYC કરાવેલુ હોવું જોઈએ. જો તમે હજુ સુધી  આ યોજનામાં તમારું e-KYC પૂરું કર્યું નથી તો તમે લાભથી વંચિત રહી જશો. તમે PM કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જઈને યોજના હેઠળ તમારું e-KYC સરળતાથી પૂર્ણ કરી શકો છો.

વધુ વાંચો : કરોડો PF ખાતા ધારકો માટે ખુશખબર, નોકરી બદલતાની સાથે જ મળશે આ લાભ

આ સિવાય જે ખેડૂતો 21મો હપ્તો લેવા માંગતા હોય તેઓએ તમારી જમીનનું ભૂસત્યાપન કરાવવું જરૂરી છે. વધુમાં જો તમે તમારી અરજી દરમિયાન કોઈ ખોટી માહિતી સબમિટ કરો છો તો પણ તમે આગામી હપ્તાથી વંચિત રહી જશો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Transfer Money Farmers PM Kisan Yojana
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ