બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કિંજલ રબારીના પતિ અશોક ચૌધરીએ છૂટાછેડાના કાગળ પર સહીનો કર્યો ઈન્કાર, કિંજલે કરી હતી અરજી
Last Updated: 02:43 PM, 17 June 2026
Kinjal Rabari Ashok Chaudhary Controversy : ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમલગ્નનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી બંનેના સંબંધો અને છૂટાછેડાની પ્રક્રિયા અંગે વિવિધ ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે અશોક ચૌધરી પર હુમલાના પ્રયાસની ફરિયાદ બાદ સમગ્ર મામલો ફરી ગરમાયો છે.
ADVERTISEMENT
પ્રેમલગ્ન બાદ ચર્ચાઓનો થયો હતો પ્રારંભ
કિંજલ રબારી અને અશોક ચૌધરીએ પરસ્પર સંમતિથી પ્રેમલગ્ન કર્યા હતા. બંનેના સંબંધોની ચર્ચા તે સમયે પણ સોશિયલ મીડિયા અને જાહેર જીવનમાં વ્યાપક રીતે થઈ હતી. જોકે લગ્ન બાદ બંને વચ્ચે મતભેદો ઉભા થયા હોવાની અને સામાજિક પરિસ્થિતિઓના કારણે અલગ થવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચાઓ બહાર આવી હતી. જોકે આ અંગે બંને પક્ષો તરફથી અલગ-અલગ દાવા અને ચર્ચાઓ સમયાંતરે સામે આવતી રહી છે.
ADVERTISEMENT
ગાયિકા કિંજલ રબારીના છૂટાછેડામાં મોટો ટ્વિસ્ટ, પતિ અશોક ચૌધરીએ છૂટાછેડાના કાગળ પર સહીનો કર્યો ઈન્કાર#KinjalRabari #Divorce #Gujarati #Entertainment #VTVDigital pic.twitter.com/alHaMT12fe
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2026
રાધનપુર ફેમિલી કોર્ટમાં પહોંચ્યો મામલો
ADVERTISEMENT
સંબંધોમાં અંતર વધતા કિંજલ રબારીએ રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં આ મામલે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. 15 જૂનના રોજ પણ આ કેસની સુનાવણી માટે બંને પક્ષોની હાજરી નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અશોક ચૌધરી પરત ફરી રહ્યા હતા ત્યારે એક નવી ઘટનાએ સમગ્ર મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો.
અશોક ચૌધરી પર હુમલાના પ્રયાસનો આરોપ
ADVERTISEMENT
અશોક ચૌધરીનો આરોપ છે કે, 15 જૂનના રોજ રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની મુદ્દતે આવેલ અશોક ચૌધરી મુદ્દત પૂર્ણ કરીને પરત ફરતા અશોક ચૌધરીની ગાડીને ઘેરીને મારવાનો પ્રયાસ થયો.કોર્ટમાંથી પરત ફરતી વખતે કેટલાક લોકોએ તેમની ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ મુજબ ચાર જેટલા વ્યક્તિઓ હાથમાં તીક્ષ્ણ હથિયારો લઈને તેમની તરફ આવ્યા હતા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ADVERTISEMENT
છૂટાછેડાના દસ્તાવેજોને લઈને વિવાદ
મળતી માહિતી મુજબ, અશોક ચૌધરીએ છૂટાછેડાના કેટલાક દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે મતભેદ વધુ વધ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. અશોક ચૌધરીનો આક્ષેપ છે કે છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમના પર વારંવાર દબાણ કરવામાં આવતું હતું. જોકે આ દાવાઓ અંગે અન્ય પક્ષ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો : અન્નદાતા આનંદો! રાજ્યમાં આ દિવસથી થશે વાવણી લાયક વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
સમી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
હુમલાના પ્રયાસના આરોપોને પગલે અશોક ચૌધરીએ સમી પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન ઘટનાના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવશે અને પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાતના લોકસંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા આ મામલાને લઈને સોશિયલ મીડિયા પર પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રેમલગ્ન, અલગાવ, કોર્ટ કાર્યવાહી અને હવે હુમલાના આરોપો જેવા અનેક મુદ્દાઓને કારણે આ કેસ લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે. બંને પક્ષો સાથે જોડાયેલા દાવા અને આરોપોની સત્યતા અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.