બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પાટીદાર સમાજને મદદ કરવા તૈયાર', ખેડામાં પાટીદાર યુવતીના પ્રેમલગ્ન વિવાદ પર ઠાકરશી રબારીનું નિવેદન
Last Updated: 04:06 PM, 15 March 2026
ખેડા જિલ્લામાં પાટીદાર સમાજની યુવતીના પ્રેમલગ્ન મુદ્દે ઉભા થયેલા વિવાદને લઈ રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દે પાટીદાર સમાજને સમર્થન આપતા જણાવ્યું કે સમાજની પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સૌએ સંયમ રાખવો જરૂરી છે.
ADVERTISEMENT
રબારી સમાજના યુવાનોને અપીલ કે કોઈ સમાજની દીકરી લાવવી નહીં-ઠાકરશી રબારી
ઠાકરશી રબારીએ રબારી સમાજના યુવાનોને અપીલ કરતાં કહ્યું કે કોઈપણ અન્ય સમાજની દીકરીને ભાગેડું લગ્ન કરીને લાવવું યોગ્ય નથી. આવા પગલાંથી સમાજોમાં તણાવ ઊભો થવાની શક્યતા રહે છે, તેથી યુવાનોને જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.
ADVERTISEMENT
પાટીદાર સમાજને મદદની જરૂર પડશે તો મદદ કરવા તૈયાર-ઠાકરશી રબારી
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે જો આ મુદ્દે પાટીદાર સમાજને મદદની જરૂર પડશે તો રબારી સમાજ તેમની સાથે ઊભો રહેશે. પાટીદાર સમાજ ખૂબ શક્તિશાળી અને આર્થિક રીતે મજબૂત સમાજ હોવાનું તેમણે ઉમેર્યું.

ADVERTISEMENT
નરેશ પટેલને કહેવા માગુ છું કે કાયદો બનાવવા માટે આંદોલન કરે-ઠાકરશી રબારી
આ સાથે ઠાકરશી રબારીએ સામાજિક મુદ્દાઓના કાયમી ઉકેલ માટે કાનૂની વ્યવસ્થા કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી. તેમણે પાટીદાર આગેવાન નરેશ પટેલને સંબોધતા જણાવ્યું કે આવી ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવવા સરકાર પર દબાણ લાવવા માટે આંદોલન કરવાની જરૂર છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'રબારી પાસેથી દીકરી પાછી લાવો', કિંજલ રબારીની ઘરવાપસી પછી પાટીદાર સમાજના માતા-પિતાની આજીજી
ભાગેડું લગ્ન સામે આંદોલનમાં રબારી સમાજનું સમર્થન-ઠાકરશી રબારી
ADVERTISEMENT
ઠાકરશી રબારીએ સ્પષ્ટ કર્યું કે ભાગેડું લગ્નના મુદ્દે જો કોઈ સામાજિક આંદોલન થાય તો તેમાં રબારી સમાજનો સમર્થન રહેશે. સમાજોમાં શાંતિ અને સમરસતા જળવાઈ રહે તે માટે સૌએ મળીને વિચારવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.