સિડની વનડેમાં 66 રનની કારમી હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ICCએ શનિવારે મોટી કાર્યવાહી કરી અને ભારતીય ક્રિકેટ ટીમને દંડ ફટકાર્યો.
સિડની વનડેમાં સ્લો ઓવર રેટ માટે ટીમ ઇન્ડિયાને મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો હતો. ભારતે પ્રથમ વનડેમાં તેની 50 ઓવર ચાર કલાક અને છ મિનિટ સુધી પૂર્ણ કરી હતી જેમાં તે 66 રનથી હારી ગયું હતું.
આઈસીસીએ ટીમ ઈન્ડિયા પર કાર્યવાહી કરી
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની મેચ રેફરી ડેવિડ બૂને આ દંડ ફટકાર્યો હતો. આઇસીસીએ શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, 'ઓવર-સ્પીડના ન્યૂનતમ ઉલ્લંઘન માટે આઇસીસીની આચારસંહિતા મુજબ, ખેલાડીઓ નિર્ધારિત સમયમાં બોલિંગ ન કરી શકતા હોય તો દરેક ઓવરમાંથી તેમની મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવે છે.
આઇસીસીની અખબારી યાદી મુજબ, 'કેપ્ટન વિરાટ કોહલીએ ઉલ્લંઘન અને સૂચિત દંડ સ્વીકાર્યો છે, તેથી સત્તાવાર સુનાવણીની જરૂર નથી. આ ઉલ્લંઘન ઓન-ફીલ્ડ અમ્પાયર રોડ ટકર અને સેમ નોગાજસ્કી, ટીવી અમ્પાયર પોલ રેફેલ અને ચોથા અમ્પાયર ગેરાર્ડ એબોડે નક્કી કર્યું હતું. સ્ટીવ સ્મિથે મેચ પછી પણ સ્વીકાર્યું કે તે રમેલી તમામ મેચોમાં આ સૌથી લાંબી 50 ઓવરની મેચ છે. ભારતીય ટીમ ત્રણ મેચની સિરીઝમાં 0-1થી પાછળ છે અને બીજી વનડે રવિવારે સિડનીમાં રમાશે.
ભારતીય બોલરોએ ખૂબ જ ધીમી ઓવર ફેંકી
સિડની વનડેમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ખૂબ નબળું હતું. ટીમ ઇન્ડિયા પાંચ બોલરો સાથે મેદાન પર ઉતરી હતી તેમાંથી બે સ્પિનરો હતા. તેમ છતાં, તે સમયસર પૂર્ણ ઓવર ફેંકી શક્યાં નહીં અને 4 કલાકમાં ઓવર પૂરી કરી. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે પ્રથમ વખત વન ડે ક્રિકેટ કોરોના કાળ બાદ રમી હતી, જેની અસર મેદાન પર પડી હતી. હવે રવિવારે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ ઓવર રેટની વિશેષ કાળજી લેવી પડશે.