બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / આરોગ્ય / tea stomach benefits jeera fennel cardamon and ginger get relief of acidity gas bloating and gut problems
Manisha Jogi
Last Updated: 11:06 AM, 11 September 2023
ચોમાસું આવતા ગરમીથી રાહત તો મળે છે, પરંતુ સંક્રામક બિમારીઓ થવાનું જોખમ રહે છે. આ કારણોસર આ ઋતુમાં આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહીંયા અમે એક એવી ચા વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનું સેવન કરવાથી ચોમાસામાં પેટના આરોગ્ય પર કોઈપણ પ્રકારની ખરાબ અસર નહીં થાય. નિયમિતરૂપે આ ચાનું સેવન કરવાથી એસિડિટી, ગેસ, અપચા જેવી સમસ્યાથી છુટકારો મળી જશે.
ચા બનાવવાની રીત
આ ચા બનાવવા મેટ એક ઈંચ આદુનો ટુકડો, 1-2 ઈલાયચી, એક ચમચી જીરૂ અને વરિયાળી લો. હવે એક લીટર પાણીમાં ઉકાળો, પાણી અડધુ ના થાય ત્યાં સુધી ઉકાળો અને પછી ગાળી લો. પાણી ઠંડુ અને હુંફાળુ થાય પછી પી લો. જેનું સેવન કરવાથી ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યાથી રાહત મળશે અને પેટ રિલેક્સ રહેશે. જેની સીધી અસર આરોગ્ય અને બ્રેઈન પર પડશે તથા મૂડ સારો રહેશે.
ચામાં જે વસ્તુ શામેલ કરવામાં આવી છે તેના ફાયદા
આદુ
આદુનું સેવન કરવાથી સર્દી-ખાંસી માટે ઔષધિનું કામ કરે છે. આદુમાં રહેલ એસોફેજિયલ સ્ફિંક્ટર પર પ્રેશર ઓછું કરે છે. ગટ ક્રેમ્પ્સ, અપચો, પેટ ફૂલવાની સમસ્યા અને સોજાથી રાહત મળે છે.
વરિયાળી
પેટની સમસ્યા માટે વરિયાળી ઔષધિનું કામ કરે છે. જો તમને પણ અપચો અને પેટની સમસ્યા છે, તો તેનાથી રાહત મેળવવા માટે વરિયાળી ખાઈ લેવી. વરિયાળીમાં રહેલ એન્ટી ઈન્લામેટરી ગુણ આરોગ્ય માટે લાભકારી છે.
ઈલાયચી
આ ચાને હર્બલ ચા પણ કહી શકાય છે. ઈલાયચી સ્મેલ અને ટેસ્ટ આપવાની સાથે એસિડિટી, પેટ ફૂલવાની અને અપચાની સમસ્યા દૂર કરે છે. પેટનો દુખાવો અને ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ જેવી સમસ્યા દૂર થશે.
જીરૂ
જીરૂ પાચનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જીરૂમાં રહેલ થાઈમોલ નામનું યૌગિક ગૈસ્ટ્રિક ગ્લૈંડના સ્ત્રાવમાં વૃદ્ધિ કરે છે અને પેટ રિલેક્સ રહે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime