બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / Tamil Nadu government bans cotton candy based on suspicion, reality check done in Ahmedabad
Dinesh
Last Updated: 11:37 PM, 11 March 2024
કોટન કેન્ડી એટલે કે બુદ્ધિના બાલ. જે દરેક બાળકોની મનપસંદ વસ્તુ છે. અને બહાર નીકળતાની સાથે જ તે ખાવા માટે બાળકો ધમપછાડા કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો. આ બુદ્ધિના બાલ ખાવાથી કેન્સજ જેવી ભયાનક બીમારી તમારા બાળકને થઈ શકે છે. આવો જ દાવો તમિલનાડુ સરકારે કર્યો છે. અને કોટન કેન્ડી પર પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે સવાલ એ થતો હશે કે, શું કહીકતમાં કોટન કેન્ડી ખાવાથી બાળકોને કેન્સર થાય છે. શું ગુજરાતમાં પણ અખાદ્ય કોટન કેન્ડી બાળકો ખાય છે.
Ahmedabad News: શું કોટન કેન્ડી ખાવાથી કેન્સર થાય છે?, તમિલનાડુમાં પ્રતિબંધ બાદ VTV NEWSનું રિયાલિટી ચેક I VTV GUJARATI#ahmedabad #ahmedabadnews #cancer #sutarfeni #gujarat #gujaratinews #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 11, 2024
( કોટન કેન્ડી એટલે કે બુદ્ધિના બાલ.. જે દરેક બાળકોની મનપસંદ વસ્તુ છે.. અને… pic.twitter.com/XNN7GVEUeJ
શું કોટન કેન્ડી ખાવાથી કેન્સર થાય છે?
બુદ્ધિના બાલ તો નાના બાળકોથી લઈને મોટેરા સધુ તમામને પસંદ હોય છે. બહાર ટહેલવા કે, ફરવા નિકળીએ એટલે બુદ્ધિના બાલ ખાવાનું ચૂકતા નથી. પરંતુ તે જ બુદ્ધિના બાલથી કેન્સર થાય છે. અને આ પ્રકારનો દાવો તમિલનાડુ સરકારના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જ્યારે તમિલનાડુ સરકારે શંકાના આધારે ચેન્નઈના મરિન બીચ પરથી કોટન કેન્ડીના કેટલાક સેમ્પલ લેવામાં આવ્યાં જે બાદ તેનું તમિલનાડુની સરકારી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં કોટન કેન્ડીમાં રોડામાઈન-બી કેમિકલ મળી આવ્યું. જે બાદ સમગ્ર તમિલનાડુમાં કોટન કેન્ડી એટલે કે, બુદ્ધિના બાલના વેચાણ પર પ્રતિબંધ મુકી દેવાયો.
તમિલનાડુમાં પ્રતિબંધ બાદ VTV NEWSનું રિયાલિટી ચેક
હવે સવાલ એ થાય છે કે, આ સવાલો દરેક લોકોના મનમાં છે. પરંતુ સરકાર હજૂ ઊંઘી રહી છે. પરંતુ વીટીવી ન્યૂઝને લોકોના અને ખાસ કરીને બાળકોના જીવનની પરવા હોવાથી રિયાલિટી ચેક કરવા માટે અમદાવાદના પ્રખ્યાત લો-ગાર્ડન ખાતે પહોંચ્યું. અને અહીં કોટન કેન્ડી બનાવતા વેપારીઓની મુલાકાત લઈને જ સત્ય જાણવાનો પ્રયાસ કર્યો.
વાંચવા જેવું: મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે ઉતાર્યા દિગ્ગજ નેતા, કહ્યું મને પોરબંદરથી ચૂંટણી લડવાનો આદેશ મળ્યો
કોટન કેન્ડી વેચતા વેપારીઓ સાથે મુલાકાત
માત્ર એક વેપારી જ નહીં. નાના-નાના છૂટક વેપારીઓ કે, જે કોટન કેન્ડી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને પણ મળ્યા. અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. અમદાવાદમાં પણ કોટન કેન્ડીનું ધોમ વેચાણ થાય છે. અને બાળકો આરોગે છે. પરંતુ અહીં ખાંડની સાથે ખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું. આમ પહેલી નજરે તો અમદાવાદમાં વેચાતી કોટન કેન્ડી ખાદ્ય હોવાનું સામે આવ્યું છે. અહીં તમિલનાડુંની જેમ કોઈપણ ઝેરી કેમિકલનો ઉપયોગ નથી થતો. છતાં આ મુદ્દે આરોગ્ય વિભાગે પણ તપાસ કરવી જોઈએ તેવું લોકોનું માનવું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime