બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
Dinesh
Last Updated: 10:27 PM, 11 March 2024
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસ પણ 39 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બીજી ઉમેદવાર યાદી જાહેર કરવા કવાયત હાથ ધરી છે. દિલ્લીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ગુજરાત અને મધ્યપ્રદેશની બેઠકોને લઇ થઇ ચર્ચા કરાઈ છે.
કોંગ્રેસની મેળલી આ બેઠકમાં ગુજરાતની 24 બેઠકને લઈ પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બેઠકમાં CAAને લઇને પણ ચર્ચા થઈ છે. સૂત્રો પાપ્ત વિગતો મજબ રાજસ્થાનમાં અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતના નામ પર ચર્ચા થઈ હોવાની પણ વિગતો છે.
દિલ્લીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે, લલિત વસોયાને ચૂંટણી લડવાને લઈ દિલ્હીથી કોલ આવ્યો છે. લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા સૂચના અપાઈ છે. દિલ્હી CECની બેઠકમાંથી હાઈકમાન્ડનો વસોયા પર ફોન કર્યો હોવાની વિગતો ધ્યાને આવી છે. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવીયા સામે લલિત વસોયા મેદાને ઉતરશે તેવી વિગતો ધ્યાને આવી છે.
આ મુદ્દે લલિત વસોયા VTV સાથે વાતચીત કરતા કહ્યું કે, મને કોંગ્રેસ પક્ષનો આદેશ મળી ગયો છે હું તેમનો આભાર માનું છું.
વાંચવા જેવું: 'ઉંદરામાં તારૂ કોણ છે કે મામેરૂ ભરશે', ગામલોકોએ બાપ વગરની દીકરીનું 7.70 લાખનું મામેરું ભરી મહેણું ભાંગ્યું
કોંગ્રેસે સંઘ પ્રદેશ દમણ-દીવ બેઠક પરથી લોકસભાના ઉમેદવારનું નામ જાહેર કર્યુ છે. કેતન પટેલને ચૂંટણી લડવાના આદેશ મળ્યા છે. અત્રે જણાવીએ કે, દમણ ભાજપના ઉમેદવાર લાલુ પટેલ સામે કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલની ટક્કર થશે
ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણીને લઇ સ્ક્રિનિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આચારસંહિતાની નવી અમલવારી સંદર્ભે કમિટીની રચના કરવામાં આવી. ચીફ સેક્રેટરી, વિભાગના વડા તથા એડિશનલ ચીફ સેક્રેટરી સામાન્ય વહિવટ વિભાગનો સ્ક્રિનિંગ કમિટીમાં સમાવેશ થયો. આચારસંહિતાના અમલિકરણ સમયે સરકાર જરૂરી મંજૂરી સંદર્ભે કમિટી નિર્ણય કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચને સીધા મંજૂરી માટે ન જતા સ્ક્રિનિંગ કમિટી સમક્ષ મંજૂરી લઇ શકાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army