સુશાંતની આત્મહત્યા બાદ ઘણા સવાલ ઉઠ્યા હતા અને નેપોટીઝમને લઇને સૌથી વધારે સવાલ કરવામાં આવ્યા હતા. લોકો કરી રહ્યાં હતા કે સુશાંત આઉટસાઇડર છે એટલા માટે તેણે સહન કરવાનો વારો આવ્યો અને તેણે અંતે આ પગલુ ભરવુ પડ્યુ હતુ.
સુશાંતે પોતાના ફેન્સને અપીલ કરી હતી કે પ્લીઝ મારી ફિલ્મ જોવા જજો નહીતર મને બોલીવૂડમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. ફેન્સને અપીલ કર્યા બાદ તેણે ખુબ પ્રયત્ન કર્યો કે લોકો તેની ફિલ્મ જોવા જાય.
ફેન્સની કમેન્ટનો આપતા હતા જવાબ
સુશાંત સોશ્યલ મિડીયા પર ઘણા એક્ટિવ રહેતા હતા અને પોતાના ફેન્સની ટ્વિટનો જવાબ પણ આપતા હતા. આવું બે વાર થયુ હતુ જ્યારે સુશાંતે ફેન્સને અપીલ કરી હતી કે તેઓ તેની ફિલ્મ જોવા જાય.
રજત કપૂરને આપ્યો હતો જવાબ
MS Dhoni રિલીઝ થઇ હતી ક્યારે સુશાંતની ખુબ પ્રશંસા થઇ હતી અને એક્ટરે તે ફિલ્મમાં ધોનીને કોપી કર્યો હતો. તે સમય દરમિયાન જ રજત કપૂરે કમેન્ટ કરી હતી કે તે ફિલ્મ જોવા નહી જાય કારણકે ધોની તે એક્ટર કરતા વધારે સારા દેખાય છે. ત્યારે સુશાંતે કહ્યું હતુ કે, મે ભરપૂર મહેનત કરી છે તેમના જેવા દેખાવાની પ્લીઝ જઇને મારી ફિલ્મ જુઓ.
ફેન્સને આપ્યો જવાબ
દિલ બેચારા રિલીઝ થવાની હતી તે પહેલા સુશાંતની ફેને તેને કહ્યું કે અરે આ ફિલ્મમાં પણ તુ મરી જઇશ, આ ફિલ્મ જોવા જ હું નહી જાઉ આ છેલ્લી વસ્તુ હશે જેને હું મોટા પરદા પર જોઇશ. ઇન્ડસ્ટ્રીમાં તારુ દિલ સૌથી મોટુ છે. ત્યારે સુશાંતે કહ્યું હતુ કે, તમે મારી ફિલ્મ જોવા નહી જોઓ તો મને બોલીવૂડમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. મારો કોઇ ગોડફાધર નથી. હું બોલીવૂડમાં રહુ તો પ્લીઝ મારી ફિલ્મ જોવા જાઓ.