બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત સિવિલ હોસ્ટેલ ડોક્ટર આપઘાત કેસમાં મોટો ખુલાસો, તપાસમાં સામે આવી ભયાનક હકીકત
Last Updated: 10:15 AM, 10 August 2026
સુરત સિવિલ હોસ્ટેલ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એક મોટો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન રેગિંગ થયું હોવાનું સામે આવ્યું છે. 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયું હતું. આ હકીકત સામે આવ્યાં બાદ ચારેય વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે તેમને હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ પણ કરાયાં છે.
ADVERTISEMENT
શું હતો બનાવ
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતા મૂળ મોડાસાના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ આપઘાત કરી લેતાં સિવિલ હોસ્પિટલ અને પીજી હોસ્ટેલમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ડૉ. હર્ષે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
કોણ હતા મૃતક
ADVERTISEMENT
મૃતક ડૉ. હર્ષ પંડ્યા મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા અને અપરિણીત હતા. તેઓ સુરત સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.