બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
VTV / Supreme Court decision on Uddhav Thackerays plea
Vaidehi
Last Updated: 07:14 PM, 15 February 2023
ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે કહ્યું કે વિધાયકોને અયોગ્ય કરાર કરવાનાં મામલામાં અંતિમ નિર્ણય સ્પીકરનાં હાથોમાં હોય છે. ઉદ્ધવની તરફથી વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે અયોગ્યતાનાં મામલામાં છેલ્લો નિર્ણય સુપ્રીમ કોર્ટે કરવો જોઈએ જે અરજીને આજે SCએ ફગાવી દીધેલ છે.
ઉદ્ધવ અને શિંદે વચ્ચે ગરમ માહોલ
રાજનૈતિક પાર્ટી શિવસેના પર અધિકારને લઈને એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. એકનાથ શિંદેનાં નેતૃત્વવાળા સમૂહે સરકારને ફગાવ્યાં બાદ BJPને સમર્થન આપ્યું હતું. જેના કારણે શિંદે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બન્યાં હતાં.ત્યારબાદ શિંદેએ શિવસેનાનાં ચૂંટણીનાં ચિહ્ન પર પણ કબ્જો કર્યો છે જેનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે જેની સુનાવણી ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની આગેવાની વાળી પાંચ લોકોની બેંચ કરી રહી છે.
નબામ રેબિયા કેસનો ઉલ્લેખ કર્યો વકીલે
ઉદ્ધવ ઠાકરેનાં વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને દેવદત્ત કામતે 2016માં નબામ રેબિયા કેસનો ઉલ્લેખ કર્યો. તે સમયે કોર્ટે પોતાનાં નિર્ણયમાં કહ્યું હતું કે સ્પીકરને અયોગ્યતાનાં મામલામાં નિર્ણય કરવાનો અધિકાર નથી.
નબામ રેબિયાનાં ચુકાદા પર SC
સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'નબામ રેબિયાનાં નિર્ણયમાં પણ કેટલાક ફેરફારોની આવશ્યકતા છે.' કોર્ટે કહ્યું કે 'અમે એવું નથી કહી રહ્યાં કે 2016નો નિર્ણય ખોટો હતો પરંતુ તેમાં કેટલાક ફેરફારો કરીને મજબૂત કરવાની આવશ્યકતા છે.' સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે 'પ્રશ્ન એ છે કે આ ફેરફાર પાંચ જજોની બેંચ કરી શકે છે કે પછી મોટી બેંચ બનાવવી જોઈએ.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime