બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Sukanya Samriddhi Yojana you can save daily 1 rupees and get 15 lakh rupee on maturity
Last Updated: 11:46 AM, 1 November 2021
ADVERTISEMENT
જો તમે રોકાણ કરવાને લઈને પ્લાન કરી રહ્યા છો તો આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ખૂબ જ ઓછું રોકાણ કરીને વધુ રકમ ઉભી કરી શકો છો. આ સરકારી સ્કીમનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. આ યોજનાથી તમે દિકરીના ભવિષ્યને સુરક્ષિત તો કરી શકો છો સાથે જ અહીં રોકાણ કરવાથી તમને ઈનકમ ટેક્સમાં પણ મદદ મળે છે. આ સ્કીમનો લાભ રોજના 1 રૂપિયાની બચત કરીને પણ ઉઠાવી શકાય છે.
ADVERTISEMENT
શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના દિકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે જેને બેટી બચાઓ બેટી પઢાઓ સ્કીમ હેઠળ લોન્ચ કરવામાં આવી છે. નાના બચત સ્કીમમાં સુકન્યા સૌથી સારા વ્યાજદર વાળી યોજના છે.
આટલા રૂપિયાથી કરી શકાય છે રોકાણ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં માત્ર 250 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવી શકાય છે. એટલે કે જો તમે દરરોજ 1 રૂપિયો પણ બચાવો છો તો તમે આ સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. કોઈ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જરૂર જમા કરાવવા જોઈએ. કોઈ નાણકીય વર્ષમાં SSY ખાતામાં એક વખત અથવા ઘણી વખતમાં 1.5 લાખ રૂપિયાથી ઓછું જમા નહીં કરાવી શકાય.
કેટલું મળે છે વ્યાજ?
દરેક SSYમાં 7.6 ટકાનું વ્યાજ આપવામાં આવે છે જે ઈનકમ ટેક્સ છૂટની સાથે છે. આ પહેલા તેમાં 9.2 ટકા વ્યાજ પણ આપવામાં આવતું હતું. 8 વર્ષની ઉંમર બાદ દિકરીના ઉચ્ચ અભ્યાસ માટે ખર્ચના મામલામાં 50 ટરા સુધી ઓછી રકમ ઉપાડી શકાય છે.
મેચ્યોરિટી પર મળશે 15 લાખથી પણ વધારે
માની લો કે તમે આ સ્કીમમાં દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો. એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પર તમને 14 વર્ષ બાદ 7.6 ટકા વાર્ષિક કમ્પાઉન્ડિંગના હિસાબથી 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરિટી પર આ રકમ લગભગ 15,22,221 રૂપિયા થશે. જણાવી દઈએ કે હાલ તમને SSYમાં 7.6 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે ઈનકમ ટેક્સ છૂટની સાથે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.