ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બિલ્ડર પુત્ર ઋષભ પટેલ આપઘાત કેસમાં નવો વળાંક, 4 સામે ફરિયાદ
Last Updated: 11:37 AM, 30 January 2026
ADVERTISEMENT
બે દિવસ પહેલા ગાંધીનગરના સુઘડમાં બિલ્ડરના પુત્રના આપઘાત કેસ મામલે ઈન્ફોસિટી પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ચારેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
પોલીસે ચારેય શખ્સોની શોધખોળ હાથધરી
ઈન્ફોસિટી પોલીસે કલ્પેશ પટેલ, મનીષ પટેલ, ક્રિશાલ પટેલ, મહિપાલસિંહ નામના શખ્સો સામે ફરિયાદ નોંધી છે. ઋષભ પટેલની સુસાઈડ નોટના આધારે મૃતક ઋષભ પટેલના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસા બાબતે જાહેરમાં માર મારતા યુવકે સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યું હતું. 25 મી એ ઘરેથી નીકળ્યો અને 28 જાન્યુઆરીએ મૃતદેહ મળ્યો હતો.
ADVERTISEMENT

અમદાવાદમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 13 દિવસ પહેલા લગ્ન થયેલા યુવકે આપઘાત કરી લીધાનો મામલો સામે આવ્યો છે. મૃતક યુવકનો મૃતદેહ કડી કેનાલ નજીકથી મળ્યો હતો. યુવકનું નામ ઋષભ હોવાનું જાણવા મળ્યું છે. જે થોડા દિવસોથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.
ADVERTISEMENT

પરિવાજનોએ આક્ષેપ કર્યો
ADVERTISEMENT
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડરના દીકરા તથા પૂર્વ કાઉન્સિલર તારા પટેલના દીકરા મનીષ પટેલ દ્વારા પૈસાની લેતીદેતીના મુદ્દે ઋષભનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવવાનો પગલું ભર્યું.

ADVERTISEMENT
કેનાલ નજીકથી મૃતદેહ મળ્યો
પોલીસને મળેલી માહિતી અનુસાર, ઋષભના લગ્નને હજુ 13 દિવસ જ થયા હતા. અચાનક તેના ગુમ થવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો, ત્યારબાદ કડી કેનાલ નજીકથી તેનો મૃતદેહ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો, ડબ્બે કેટલાનો વધારો ઝીંકાયો?
પોલીસે તપાસ શરૂ કરી
હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારના નિવેદનના આધારે પૂર્વ કાઉન્સિલર તારા પટેલના દીકરા મનીષ પટેલ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.