બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં મકાન ભાડે આપનારા પર કડક એક્શન, 367 લાભાર્થીને નોટિસ, 35ને માર્યું સીલ
Last Updated: 11:30 AM, 21 October 2025
અમદાવાદ મુખ્યમંત્રી આવાસ યોજના (EWS) હેઠળ મળેલા મકાનોનો દુરુપયોગ થતો હોવાના ઘટનાઓ સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 6 મહિનાથી ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,611 મકાનોની ચકાસણી કરવામાં આવી છે, જેમાંથી 367 મકાનો શંકાસ્પદ જણાતા સંબંધિત માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ, 35 મકાનોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ યોજના અંતર્ગત આવાસ એવાં નાગરિકોને આપવામાં આવે છે, જેમની આવક સીમિત હોય અને જેઓ પોતાનું ઘર ખરીદવાની સ્થિતિમાં ન હોય. પરંતુ તાજેતરમાં મળેલી માહિતીના આધારે એવું જણાયું છે કે, કેટલાક લાભાર્થીઓએ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને મકાન મેળવ્યા બાદ તે ભાડે આપી રહ્યા છે અથવા વેચાણ પણ કરી રહ્યા છે.

ADVERTISEMENT
મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવેલી અચાનક ચકાસણી દરમિયાન કેટલાક મકાનોમાં મૂળ લાભાર્થીને બદલે અન્ય વ્યક્તિઓ રહેતી હોવાનું બહાર આવ્યું હતું. આવા મકાનોના માલિકોને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે. અને જ્યાં સ્પષ્ટરૂપે તાત્કાલિક ભંગાચાર જણાયો, તેવા 35 મકાનો તુરંત સીલ કરાયા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિવાળીની રાત્રે અમદાવાદ 'ગેસ ચેમ્બર'માં ફેરવાયું! AQI 300ને પાર, આ વિસ્તારો ડેન્જર ઝોનમાં
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવાસ યોજનાનો હેતુ ખરેખર જરૂરિયાતમંદોને સરકારી સહાય પૂરી પાડી નાગરિકોને ઘર આપવાનો છે. પરંતુ જો લાભાર્થીઓ તેનું વ્યાવસાયિક ઉપયોજન કરતા હોય અથવા ત્રીજા પક્ષને મકાન વહેંચી દેતા હોય, તો સામે કડક કાર્યવાહી થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.