બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળીની રાત્રે અમદાવાદ 'ગેસ ચેમ્બર'માં ફેરવાયું! AQI 300ને પાર, આ વિસ્તારો ડેન્જર ઝોનમાં
Last Updated: 10:43 AM, 21 October 2025
20 ઓક્ટોબરના રોજ દિવાળીના તહેવારની લોકોએ ફટાકડા ફોડી ધામધૂમથી ઉજવણી કરી હતી. પરંતું ફટાકડાના કારણે હવામાન ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણનો વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) 300 પાર પહોંચી જવા પામ્યો હતા. હવામાં ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમી બની જવા પામી હતી.
ADVERTISEMENT
અમદાવાદના ક્યાં વિસ્તારમાં જોખમી હવા
ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાઈ જવા પામ્યું હતું. જેના કારણે શ્વાસમાં હવા જવાનાકારણે લોકોએ ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200 થી ઉપર જોવા મળ્યો હતો. aqi.in ની વેબસાઈટ મુજબ શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા તેમજ થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમી હવા બની હતી. અમદાવાદમાં ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું. જેથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઉભી થવા પામી હતી.
ADVERTISEMENT
રાજ્ય સરકારે ગાઈડ લાઈન જાહેર કરી
રાજ્ય સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.વાળી એ પ્રકાશનું પર્વ છે. દિવાળીના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવાર પર લોકો ફટાકડા ફોડે છે અને આતશબાજી કરે
ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા સૂચન
ADVERTISEMENT
દિવાળીના તહેવાર શરુ થવાને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે, ત્યારે દિવાળી પર નિશ્ચિત સમય માટે જ ફટાકડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે નાગરિકોને પાલન કરવા સૂચન કર્યું છે.

ADVERTISEMENT
માત્ર બે કલાક જ ફોડી શકાશે ફટાકડા
જો ગાઈડ લાઈન પર વિગતવાર નજર કરીએ તો શહેરના બજારો, શેરીઓ તેમજ જાહેર રસ્તા, પેટ્રોલ પંપ, સીએનજી અને એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ અને એરપોર્ટની નજીક ફટાકડા ફોડી શકશે નહીં. માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.
ADVERTISEMENT

ચાઇનીઝ તુક્કલ પ્રતિબંધ રહેશે
સૌથી મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં દિવાળીમાં આગના બનાવો બન્યા જેમાં ચાઇનીઝ તુક્કલને કારણે આગની ઘટના સૌથી વધુ હતી. જેથી પોલીસે ચાઇનીઝ તુક્કલ, બલૂનના વેચાણ તેમજ ઉપયોગ સામે પ્રતિબંધ મૂક્યો છે.
આટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના એરિયાને સાયલન્ટ ઝોન ગણી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામું બે દિવસના તહેવારમાં બે સમય નક્કી કરાયો છે, જેમાં દિવાળી અને અન્ય તહેવારોમાં ફટાકડા રાત્રે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ફોડી શકશે, જ્યારે નવા વર્ષના દિવસે રાત્રે 11.55 થી રાત્રે 12.30 વાગ્યા સુધી ફોડી શકશે.

પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે
ગાઈડલાઈન મુજબ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર વેચાણ થઈ શકશે નહીં. જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ?
AQI જાણવા માટે, વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે અને તેની માત્રા માપવામાં આવે છે. જેના માટેની એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. AQIનું સ્તર સૂચવે છે કે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. AQI ની રેન્જ 0 થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ જેમ AQI વધે તેમ તેમ પ્રદૂષણ વધ્યું ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે. વળી, દરેક સ્ટેજને એક ખાસ કલર કોડ આપવામાં આવ્યો છે. જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે અને કેટલી પ્રદૂષિત છે. જો એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર 0-100 વચ્ચે આવે તો સારી ગણાય, 101થી 200 વચ્ચે સાધારણ અને 201થી 300 વચ્ચે ખરાબ કહેવાય છે. જો 301થી 400 વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને 401થી 500 વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ બે ગામ વચ્ચે અગ્નિવર્ષા, ઇંગોરિયા ફેંકી ખેલાયું યુદ્ધ, નિર્દોષ ભાવ દેખાયો
અસ્થમાના દર્દીઓએ શું શું ધ્યાન રાખવું?
દિવાળી એ રોશની, મીઠાઈઓ અને આનંદનો તહેવાર છે, પરંતુ અસ્થમાના દર્દીઓ માટે પડકારજનક હોઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, ભારતમાં આશરે 35 મિલિયન લોકો અસ્થમાથી પીડાય છે. વાયુ-પ્રદૂષણ આ રોગ માટે એક મુખ્ય કારણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.