બ્રેકિંગ ન્યુઝ
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
VTV / ગુજરાત / state govt has admitted that the central government has not paid even a single rupee in natural calamities
Dinesh
Last Updated: 05:54 PM, 27 February 2024
બે વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઇ ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.
અર્જુન મોઢવાડિયાના સવાલ પર સરકારનો જવાબ
અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર રોજ લખ્યો હતો. જેમાં રૂપિયા 152 કરોડની સહાય ચૂકવવાની માગણી કરી હતી. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણી ન સ્વીકારાઈ હતી. આવી જ રીતે રાજ્ય સરકારે બીપોરજોય વાવાઝોડામાં 12 જુલાઇએ કેન્દ્ર સરકારને પત્ર લખી 700.42 કરોડની માગણી કરી હતી. જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ સહાય આપી નથી.
SDRFમાં પુરતુ બેલેન્સ ઉપલબદ્ધ હોય રકમ ફાળવવામાં આવી ન હોવાનો સરકાર દ્વારા સ્વીકાર કરાયો છે. રાજ્ય સરકારે SDRFની 31 ડિસેમ્બર 2023ની સ્થિતિ પ્રમાણે જવાબ આપ્યો હતો.
આ મુદ્દે લલિત કગથરાએ શું કહ્યું ?
કોંગ્રેસ નેતા લલિત કગથરાએ કહ્યું કે, અમે લોકોએ ડબલ એન્જિનની સરકાર સાંભળી સાંભળીને અમારા કાન બહેરા થઈ ગયા છે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ સરકાર હોય તમામ લાભો પણ તેમજ તમામ સહાય મળે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને સહાય ચુકવવામાં આવી નથી તે હકીકત છે. તેમણે ઉમેર્યું કે, આ હળાહળ ગુજરાતને અન્યાય છે. જેનો જવાબ ભાજપને આપવો જોઈએ.
વાંચવા જેવું: ..તો AAPના ચૈતર વસાવા કોંગ્રેસના નિશાન પર લડશે ચૂંટણી? હાઈકમાન્ડને કરશે 'પંજા'ની રજૂઆત
ભાજપ નેતા હિતેન્દ્ર પટેલનું નિવેદન
ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે આ મુદ્દે જણાવ્યું કે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી ગુજરાતને અનેક રીતે ફાયદો થયો છે. સાથો સાથ ગુજરાતના વિકાસમાં કેન્દ્રનો સિહફાળો રહ્યો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને 0 ટકા વ્યાજે ધિરાણ આપવાની યોજના શરૂ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, SDRF અને NDRF સહાયના નિયમોમાં ફેરફાર કરી બેવાર સહાયમાં વધારો કર્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ