બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
Dinesh
Last Updated: 04:41 PM, 27 February 2024
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ક્યાંક નિવેદન બાજીઓ તો ક્યાંક પક્ષ પલટાના ભરતી મેળાઓ જોવા મળી રહ્યાં છે. તો વળી આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ બંન્ને પક્ષોના કાર્યકર્તાઓનો કોકડું ગુચવાયું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની હવા વચ્ચે ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યાં છે.
ભરૂચ બેઠક AAPને ફાળવાતા કોંગ્રેસના નેતાઓ નારાજ
ભરૂચ બેઠક પર AAPમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડેશે તેવી જાહેરાત થઈ ચુકી છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોની નિરાશાના નિવેદનો બાદ નવી માંગ સામે આવી છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસના કાર્યકરોની માંગ છે કે, આ બેઠક પર કોંગ્રેસના નિશાન એટલે કે, હાથ પર ચૂંટણી લડવામાં આવે.
ચૈતર વસાવાએ શું કહ્યું ?
ભરૂચ બેઠક AAPને ફાળવાતા કોંગ્રેસના નેતાઓ નારાજ જોવા મળી રહ્યાં છે. ત્યારે આ સમગ્ર મામલે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે, નિશાન નક્કી કરવાનો નિર્ણય પાર્ટી હાઇકમાન્ડનો હોય છે. હું કોંગ્રેસના આગેવાનોની લાગણી પાર્ટી હાઈકમાન્ડ સુધી મોકલીશ
વાંચવા જેવું: અરવિંદ વેગડાએ લોકસભા ચૂંટણી માટે ભાજપ પાસે ટિકિટ માંગી, હિતુ કનોડિયા પણ રેસમાં: એક જ બેઠક માટે 40 લોકોની દાવેદારી
કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાનું નિવેદન
આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા ચીમકી આપતા કહ્યું કે, જો કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી નહીં લડાય તો અમે કોઇપણ હદે જઈશું. કોઈપણ કાળે અમે પંજાનું નિશાન લઈને રહીશું. વધુમાં તેમણે ઉમેર્યું કે, પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાટાઘાટો ચાલી રહી છે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ