બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અમદાવાદ / start off BJPs Gaurav Yatra in state from October 12, Union Ministers will come in Gujarat
Kishor
Last Updated: 04:13 PM, 8 October 2022
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મિશન 182 ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જોતરાયા છે. મતદારો સુધી પહોંચવા ભાજપ દ્વારા એકપછી એક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો 12 ઓક્ટોબરથી પ્રારંભ થશે.
Live: પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @gpzadafia ની સહ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદને સંબોધન.https://t.co/dIopdXE3mk
— Pradipsinh Vaghela (@pradipsinhbjp) October 8, 2022
સરકારે અવનવા પ્રોજેક્ટના માધ્યમથી દેશને ભેટ આપી છે: વાઘેલા
પત્રકાર પરિષદ દરમિયાન પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભાજપ યાત્રા સ્વરૂપે લોકોના આશીર્વાદ મેળવવા જાય છે. ત્યારે વિધાનસભા દીઠ જનતાના આશીર્વાદ માટે ભાજપ યાત્રા થકી ગુજરાત ખુંદશે. 21 વર્ષથી ગુજરતામાં નવા આયામો સિદ્ધ થતા આવ્યા છે અને સરકારે અવનવા પ્રોજેક્ટની રાજ્યની જનતાને ભેટ આપી હોવાનું પણ ઉમેર્યું હતું.
12 ઓક્ટોબરથી યાત્રા શરુ થશે
બહુચરાજીના અંગણે 12 ઓક્ટોબરથી યાત્રા પ્રસ્થાન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ જોડાઈ ગુજરાતનો પ્રવાસ કરશે. આ યાત્રા રાજ્યમાં સતત 9 દિવસ સુધી ચાલશે. જ્યારે બીજી યાત્રાનું દક્ષિણ ગુજરાતના ઉનાઈ ખાતેથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવશે. જે યાત્રા 13 જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને ફાગવેલ ખાતે સંપન્ન થશે. તેમ પ્રદીપસિંહ વાઘેલાએ ઉમેર્યું હતું. વધુમાં ઉનાઈ માતાના આશીર્વાદ સાથે ત્રીજી યાત્રાનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે. જે ત્રીજી યાત્રા 14 વિધાનસભામાં પ્રવાસ કરી અંબાજી ખાતે પૂર્ણ થશે. આમ પાંચેય યાત્રા મળીને કુલ 144 વિધાનસભામાં સીટનો પ્રવાસ કરવામાં આવશે. જેનું 358 સ્થળોએ સ્વાગત કરાશે અને 11 દિવસ આ યાત્રા સંપન્ન થવાની છે.
આગેવાનોને રૂટની ફાળવણી કરાઇ
આગેવાનોને અલગ-અલગ રૂટની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં વિરમગામ અને ધોળકા મતવિસ્તારની મુલાકાત ગ્રામીણ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ દ્વારા લેવામાં આવશે. જ્યારે સંરક્ષણ અને પ્રવાસન મંત્રી અજય ભટ્ટ અરવલ્લી અને મોડાસાની મુલાકાત લેશે. એજ રીતે શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અમરેલીમાં સાવરકુંડલા અને રાજુલાની મુલાકાત લેશે. વધુમાં કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજુ ભાવનગરના મહુવાવિસ્તારની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પહેલા કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ચૂંટણી જાહેર સભાઓને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રીઑના ગુજરાત પ્રવાસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime