બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / વડોદરાના સમાચાર / પ્રવાસ / stambheshwar mahadev mandir vadodara disappears everyday

ના હોય! / વડોદરામાં આવેલુ છે અનોખુ શિવ મંદિર, ભક્તોને દર્શન આપી થઈ જાય છે ગાયબ

Arohi

Last Updated: 10:00 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કંદ પુરાણ અને શિવ પુરાણની રુદ્ર સંહિતામાં ગુજરાતના વડોદરામાં સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ છે, જે દરરોજ અદ્રશ્ય થઈ જાય છે.

  • દરરોજ ગાયબ થઈ જાય છે આ મંદિર 
  • શિવ પુરાણમાં છે ઉલ્લેખ 
  • વડોદરામાં સ્થિત છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર 

શ્રાવણ મહિનામાં શિવ મંદિરોની મુલાકાત લેવી, મુખ્ય તીર્થસ્થાનો પર જવું ખૂબ જ ફળદાયી છે. તેથી, શ્રાવણ મહિનામાં દેશના મુખ્ય શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. આમાંના ઘણા મંદિરો પ્રાચીન છે અને તેમની સાથે જોડાયેલા રહસ્યોને કારણે દુનિયાભરમાંથી લોકો તેમની મુલાકાત લેવા આવે છે. ગુજરાતના વડોદરામાં આવું જ એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે, જે દરરોજ અદૃશ્ય થઈ જાય છે અને ફરી દેખાય છે. આ ઘટનાને જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.

સમુદ્રમાં સ્થિત છે આ શિવ મંદિર 
ભગવાન શિવનું આ પ્રસિદ્ધ મંદિર, સ્તંભેશ્વર મહાદેવ મંદિર સમુદ્રમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવી હતી. દરિયાની અંદર હાજર આ મંદિર દિવસમાં બે વાર પાણીમાં ડૂબી જાય છે અને પછી ફરી દેખાવા લાગે છે. વાસ્તવમાં, આ સમુદ્રમાં પાણીનું સ્તર દરરોજ એટલું વધે છે કે મંદિર આખુ ડૂબી જાય છે અને પછી જ્યારે પાણીનું સ્તર ઘટે છે ત્યારે મંદિર ફરીથી દેખાવા લાગે છે. આ ઘટના દરરોજ સવારે અને સાંજે બને છે.

સમુદ્ર કરે છે શિવજીનો અભિષેક 
શિવ મંદિર દરિયામાં ડૂબી જવાની અને ફરીથી પ્રગટ થવાની આ ઘટનાને ભક્તો દ્વારા સમુદ્ર દ્વારા શિવનો અભિષેક કરવાનું કહેવામાં આવે છે. જ્યારે સમુદ્રનું સ્તર વધવા લાગે છે ત્યારે મંદિરમાં ભક્તોનો પ્રવેશ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે. 

સ્કંદ પુરાણ અને શિવ પુરાણની રુદ્ર સંહિતામાં સ્તંભેશ્વર મંદિર વિશે કહેવામાં આવ્યું છે કે રાક્ષસ તારકાસુરે કઠોર તપસ્યા કરીને શિવ પાસેથી એવું વરદાન લીધું હતું કે માત્ર શિવના પુત્ર જ તેને મારી શકે છે. ત્યાર બાદ તારકાસુરના ઉત્પાતથી લોકોને મુક્તિ અપાવવા માટે ફક્ત 6 દિવસના કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. 

ત્યાર બાદ જે સ્થાન પર રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો ત્યાં શિવ મંદિર બનાવવામાં આવ્યું. જણાવી દઈએ કે આ મંદિરની શોધ લગભગ 150 વર્ષ પૂર્વ થઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Stambheshwar Mahadev vadodara વડોદરા સ્તંભેશ્વર મહાદેવ stambheshwar mahadev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ