બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વર્લ્ડકપ પ્લાનમાંથી આઉટ થઈ શકે છે વિરાટ-રોહિત, દિગ્ગજ ખેલાડીના દાવાએ ચોંકાવી દીધા

સ્પોર્ટ્સ / વર્લ્ડકપ પ્લાનમાંથી આઉટ થઈ શકે છે વિરાટ-રોહિત, દિગ્ગજ ખેલાડીના દાવાએ ચોંકાવી દીધા

Last Updated: 03:36 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે આગામી ODI વર્લ્ડ કપ રમવું મુશ્કેલ બનશે કારણ કે પસંદગી સમિતિનું માનવું છે કે 2027 સુધીમાં રોહિત 40 વર્ષનો અને વિરાટ કોહલી 38 વર્ષનો થશે અને ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે તેઓ વર્લ્ડ કપમાં રમી શકશે નહીં...

ભારતીય ક્રિકેટ હાલમાં પરિવર્તનના મોટા દોરમાંથી પસાર થઈ રહ્યું છે. કેટલાય યુવા ખેલાડીઓનો પ્રેવેશ થઇ રહ્યો છે તો બીજી તરફ, દેશના બે મોટા ક્રિકેટ સ્ટાર્સ, રોહિત શર્મા અને વિરાટ કોહલી, ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી વિદાય લઈ રહ્યા છે. 7 મે 2025ના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમાંથી માત્ર પાંચ દિવસ પછી, 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ સત્તાવાર રીતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. હવે બંને ખેલાડી માત્ર ODI ફોર્મેટમાં જ ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે.

virat-and-kohli-final

અગાઉના ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે ફાઇનલમાં તીવ્ર શરૂઆત આપી હતી અને વિરાટે પાકિસ્તાન સામે મેચને શાનદાર રીતે જીતાડી હતી. તેમ છતાં, ઘણા નિષ્ણાતો માને છે કે હવે તેઓ ODI ક્રિકેટમાંથી પણ વિદાય લઈ શકે છે. ભારતના પૂર્વ કપ્તાન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને નથી લાગતું કે રોહિત અને કોહલી 2027ના ODI વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હશે. તેઓએ કહ્યું કે ભલે બંને ખેલાડીઓનો રેકોર્ડ શાનદાર છે, પણ ઉંમરના કારણે પસંદગીકારો હવે નવા ખેલાડીઓને તક આપવાની દિશામાં વિચાર કરી શકે છે. 2027 સુધી રોહિત 40 વર્ષનો અને કોહલી 38 વર્ષનો થઈ જશે.

sunil-gavaskar

રોહિત શર્માનો ODI રેકોર્ડ ખૂબ જ ચમકદાર રહ્યો છે. તેણે 273 મેચમાં 11168 રન બનાવ્યા છે જેમાં 32 સદી અને 58 અડધી સદીનો સમાવેશ થાય છે. ખાસ કરીને શ્રીલંકા સામે બનાવેલ 264 રન આજે પણ વિશ્વ રેકોર્ડ છે. બીજી તરફ, વિરાટ કોહલીએ 302 વનડેમાં 14181 રન બનાવ્યા છે જેમાં 51 સદી અને 74 અડધી સદીનો સમાવેશ થાય છે. ODI ફોર્મેટમાં વિરાટ સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.

Vtv App Promotion

આ પણ વાંચો : યુવાનો માટે તક કે પછી 2027 માટે આયોજન, વિરાટ કોહલીના અચાનક ટેસ્ટ નિવૃત્તિ પાછળના આ 5 કારણો છે

હાલમાં બંને ખેલાડીઓનું ODI ફોર્મ બમણું સારું છે અને તેથી પસંદગીકારો માટે તેમનો વિકલ્પ શોધવો સરળ નથી. પરંતુ ગાવસ્કરનું માનવું છે કે હવે પસંદગી તેમને તેમના હાલના ફોર્મના આધારે જ મળશે, ભૂતકાળના રેકોર્ડના આધારે નહીં. એટલે હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે શું આ બંને ‘વનડેના તાજ વગરના રાજાઓ’ને પણ ક્રિકેટમાંથી ધીરે ધીરે અલવિદા કહેવાનું વારો આવી રહ્યો છે? સમય જ તેનો સાચો જવાબ આપશે, પણ એક વાત નિશ્ચિત છે રોહિત અને વિરાટ જેવી દિગ્ગજ જોડીને બદલવી ભારતીય ક્રિકેટ માટે સહેલી વાત નહીં હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Virat Kohli ODI retirement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ