બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / યુવાનો માટે તક કે પછી 2027 માટે આયોજન, વિરાટ કોહલીના અચાનક ટેસ્ટ નિવૃત્તિ પાછળના આ 5 કારણો છે

ક્રિકેટ / યુવાનો માટે તક કે પછી 2027 માટે આયોજન, વિરાટ કોહલીના અચાનક ટેસ્ટ નિવૃત્તિ પાછળના આ 5 કારણો છે

Last Updated: 03:22 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને કરોડો ચાહકોને ચોંકાવી દીધા. 14 વર્ષની કારકિર્દીમાં તેણે ભારતને અનેક યાદગાર જીત અપાવી છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે સોથી લાંબા ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે પોતાના 14 વર્ષની ભવ્ય ટેસ્ટ કારકિર્દીનો અંત જાહેર કર્યો. 36 વર્ષીય વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચમાં 210 ઇનિંગ્સ રમીને 9230 રન બનાવ્યા હતા, જેમાં 30 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનું સરેરાશ સ્કોર 46.85 રહ્યું. તેણે છેલ્લો ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન રમ્યો હતો, જ્યાં ભારતને શ્રેણી 1-3થી હારી હતી. કોહલીના આ નિર્ણયથી ફેન્સ અને ક્રિકેટ જગતને મોટો આઘાત લાગ્યો છે, ખાસ કરીને કારણ કે ઇંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ શ્રેણી શરૂ થાની તૈયારીમાં છે. તો ચાલો જોઈએ કે વિરાટ કોહલીએ આ મોટો નિર્ણય કેમ લીધો હોઈ શકે?

virat-kholi

રોહિત શર્માની નિવૃત્તિનો પ્રભાવ

વિરાટ કોહલીના નિવૃત્તિના માત્ર પાંચ દિવસ પહેલાં રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું. બંનેએ વર્ષો સુધી સાથે ભારતને ઘણા મહાન પળો આપ્યા છે. એવામાં શક્ય છે કે રોહિતનો નિર્ણય વિરાટ માટે પણ સંકેત રહ્યો હોય.

કૌટુંબિક જીવનને પ્રાથમિકતા

કોહલી હવે બે બાળકોના પિતા છે. સતત પ્રવાસ અને મેચોની વચ્ચે પરિવાર સાથે સમય વિતાવવો મુશ્કેલ હોય છે. કદાચ હવે તે પરિવાર સાથે વધુ સમય વિતાવવા ઈચ્છે છે અને એ કારણે તેણે લાંબા ફોર્મેટમાંથી વીદાય લીધી હોય.

Virat-Kohli-Test-Retirement,

2027ના ODI વર્લ્ડ કપ પર ધ્યાન

વિરાટ કોહલી હજુ પણ ભારતની વનડે ટીમનો ભાગ છે. 2027માં યોજાનારા વર્લ્ડ કપ માટે તે પોતાની સંપૂર્ણ શક્તિ અને ફોકસ લગાવવાનું ઈચ્છે છે. કદાચ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો લેવા તે વધુ તૈયાર રહેવા માંગે છે.

યુવા ખેલાડીઓને તક

જેમ કે તેણે T-20માંથી નિવૃત્તિ લઈને નવા ખેલાડીઓ માટે જગ્યા બનાવી હતી, તે જ રીતે હવે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ વિદાય લઈને ટીમમાં નવી પેઢીને મોકો આપવો ઈચ્છે છે. ભારત પાસે હવે ઘણા પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ છે.

Vtv App Promotion 2

તાજેતરના નબળા પ્રદર્શન

વિરાટનો ટેસ્ટ ફોર્મ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘટ્યો છે. 2019 પછી તેણે એ રાફ્તાર દેખાડી નથી શક્યો. ગયા વર્ષે તેણે 10 ટેસ્ટમાં માત્ર 382 રન બનાવ્યા હતા, સરેરાશ 22.47. ફક્ત એક સદી અને એક અડધી સદી. આ કારકિર્દીની સરેરાશ 50 થી ઘટીને લગભગ 46 થઈ ગઈ.

વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

  • ટેસ્ટ: 123 મેચ, 210 ઇનિંગ્સ, 9230 રન, સરેરાશ 46.85, 30 સદી, 31 અડધી સદી
  • વનડે: 302 મેચ, 14181 રન, સરેરશ 57.88, 51 સદી, 74 અડધી સદી
  • T20: 125 મેચ, 4188 રન, સરેરશ 48.69, 1 સદી, 38 અડધી સદી

આ પણ વાંચો : શું IPLમાં MS ધોનીનું આ સપનું અધૂરું રહી જશે? નવા શેડ્યૂલે વધાર્યું CSKનું ટેન્શન

વિરાટ કોહલીએ પોતાની રમતથી લાખો દિલ જીત્યાં છે. તેમનું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવું માત્ર એક યુગનો અંત નથી, પણ નવી શરૂઆત માટેનો સંકેત પણ છે. હવે બધા ની નજર તેમના વનડે કારકિર્દી અને 2027ના વર્લ્ડ કપ પર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Virat Kohli Test career Virat Kohli retirement Kohli Test stats
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ