બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / શું IPLમાં MS ધોનીનું આ સપનું અધૂરું રહી જશે? નવા શેડ્યૂલે વધાર્યું CSKનું ટેન્શન

IPL 2025 / શું IPLમાં MS ધોનીનું આ સપનું અધૂરું રહી જશે? નવા શેડ્યૂલે વધાર્યું CSKનું ટેન્શન

Priyankka Triveddi

Last Updated: 03:06 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI એ IPL 2025નું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ સીઝનની બાકીની મેચો 17 મે થી રમાશે પરંતુ આ નવા શેડ્યૂલમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે જેનાથી જેનાથી મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે.

IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. CSK હવે ફક્ત પોતાનું સન્માન બચાવવા માટે મેદાનમાં ઉતરશે. પરંતુ આ સમય દરમિયાન તેને મોટો ઝટકો લાગ્યો છે. IPL 2025 ના નવા શેડ્યૂલને કારણે ધોનીની સેના સંપૂર્ણ આઘાતમાં છે. આ આંચકો એટલો મોટો છે કે તેના કારણે ધોનીનું એક સ્વપ્ન અધૂરું રહી શકે છે. CSK ટીમ આ સિઝનમાં સંઘર્ષ કરી રહી છે. આવી સ્થિતિમાં ધોનીનું સ્વપ્ન અધૂરું રહેવું ટીમ માટે મોટો આંચકો છે. આખરે ધોનીનું એ સ્વપ્ન શું છે જેને BCCI એ અવગણ્યું?

નવા શિડ્યુલને લીધે CSK ને મોટો ઝટકો

નવા શેડ્યૂલમાં આ સિઝનની બાકીની મેચો દેશના 6 મેદાનોમાં રમાશે. પરંતુ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમનું નામ આ 6 સ્ટેડિયમમાં ક્યાંય ઉલ્લેખિત નથી. એટલે કે નવા શેડ્યૂલ મુજબ આ સિઝનની બાકીની કોઈપણ મેચ ચેન્નાઈમાં રમાશે નહીં. જ્યારે જૂના શેડ્યૂલ મુજબ CSK તેની 13મી મેચ રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઈમાં રમવાની હતી પરંતુ હવે આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

CSK-FINAL

આ ધોનીની સેના માટે મોટો ફટકો છે કારણ કે આ માહીની છેલ્લી IPL સીઝન હોઈ શકે છે અને તે છેલ્લી વખત પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવા માંગશે પરંતુ તેનું સ્વપ્ન અધૂરું રહેશે. જોકે ધોનીએ હજુ સુધી પુષ્ટિ કરી નથી કે તે આગામી સિઝનમાં રમશે કે નહીં.

ધોની આઈપીએલ કેટલો સમય રમશે?

CSK ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના IPL માંથી નિવૃત્તિ અંગે હંમેશા અટકળો થતી રહે છે. પરંતુ દરેક વખતે ધોની તેનો ઇનકાર કરે છે. હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે માહી આગામી સીઝનમાં જોવા મળશે નહીં. પરંતુ 7 મેના રોજ KKR સામેની જીત બાદ ધોનીએ એવું નિવેદન આપ્યું કે બધા ચોંકી ગયા. તેમણે કહ્યું હતું કે "હું હવે 43 વર્ષનો છું અને ઘણા સમયથી ક્રિકેટ રમી રહ્યો છું. ચાહકો મને જોવા માટે દરેક મેદાન પર આવી રહ્યા છે કારણ કે તેઓ જાણતા નથી કે મારી કઇ મેચ છેલ્લી હોઈ શકે છે. આ લોકોનો પ્રેમ અને આદર છે."

આ પણ વાંચો: VIDEO : ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ અનુષ્કા અને વિરાટ પહોંચ્યા, પ્રેમાનંદ મહારાજના લીધા આર્શીવાદ

Vtv App Promotion

ધોનીએ વધુમાં કહ્યું "આ સિઝન પછી હું ફરીથી સખત મહેનત કરીશ અને જોઈશ કે મારું શરીર આ દબાણનો સામનો કરી શકે છે કે નહીં. મેં હજુ સુધી કંઈ નક્કી કર્યું નથી. ચાહકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તે અદ્ભુત છે". એ સ્પષ્ટ છે કે મહેન્દ્ર સિંહ ધોનીનો નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ ભવિષ્ય વિશે કંઈ કહી શકાય નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahendra Singh Dhoni IPL 2025 Chennai Super Kings
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ