બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ અનુષ્કા અને વિરાટ પહોંચ્યા, પ્રેમાનંદ મહારાજના લીધા આર્શીવાદ

ક્રિકેટ / VIDEO : ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ અનુષ્કા અને વિરાટ પહોંચ્યા, પ્રેમાનંદ મહારાજના લીધા આર્શીવાદ

Last Updated: 03:03 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી માત્ર ક્રિકેટ અને ફિલ્મ જગતમાં જ નહીં, પણ તેમની આધ્યાત્મિક યાત્રા માટે પણ ચર્ચામાં રહે છે. વિરાટની ટેસ્ટ નિવૃત્તિ પછી, આ દંપતી ફરીથી વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દર્શન માટે પહોંચ્યું.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ભારતના લોકપ્રિય પાવર કપલ્સમાંના એક છે. ક્રિકેટ જગતના મહાન ખેલાડી વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેના પગલે તેમના ચાહકોમાં ભાવનાત્મક લાગણીઓ ઉઠી હતી. ટેસ્ટ ક્રિકેટથી વિરાટની નિવૃત્તિ પછી, મંગળવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આધ્યાત્મિક શાંતિ માટે વૃંદાવન પહોંચ્યા હતા. બંને શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ ગયા હતા, જ્યાં તેમણે સાડા ત્રણ કલાકથી વધુ સમય વિતાવ્યો. તેઓએ પ્રેમાનંદ મહારાજના ચરણોમાં બેઠા રહીને આધ્યાત્મિક ચર્ચા પણ કરી.

VIRAT-KOHLI

આવો પ્રસંગ પહેલો નથી. વિરાટ અને અનુષ્કા અગાઉ પણ પ્રેમાનંદ મહારાજને મળવા આવ્યા હતા. 2023માં વિરાટ કોહલીએ પ્રથમ વખત મહારાજની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેઓ જાન્યુઆરી 2024માં ફરીથી તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા. હવે તેઓ ત્રીજી વખત મહારાજ સાથે મળ્યા છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને મહારાજ સાથે વાતચીત કરતા જોવા મળે છે.

વિરાટ કોહલીની નિવૃત્તિ બાદ અનુષ્કા શર્માએ એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેણે વિરાટ સાથેનો એક સુંદર ફોટો શેર કરતાં લખ્યું કે, “લોકો રેકોર્ડ્સ અને માઇલસ્ટોન વિશે વાત કરશે પણ મને તે આંસુ યાદ રહેશે જે તમે ક્યારેય બતાવ્યા નહીં, તે સંઘર્ષ જે કોઈએ જોયો નહીં, અને ટેસ્ટ ક્રિકેટ માટે તારો અટુટ પ્રેમ.” તેણે આગળ લખ્યું કે, “મને ખબર છે કે આ બધું તારી પાસેથી ઘણું છીનવી ગયું છે. દરેક ટેસ્ટ શ્રેણી પછી તું થોડો વધુ સમજદાર અને નમ્ર બનીને પાછો આવતો હતો. તને આગળ વધતા જોવું એ મારા માટે એક સુંદર અનુભવ રહ્યો છે.”

Vtv App Promotion 2

આ પણ વાંચો : WTCની ફાઇનલ મેચમાં કોણ રમશે?, આ દેશે જાહેર કરી ટીમ, જુઓ કોને મળ્યું સ્થાન

અનુષ્કાએ અંતમાં કહ્યું કે, “મારે હંમેશાં કલ્પના હતી કે તું સફેદ કપડાંમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લે પણ તું હંમેશાં તારા દિલની વાત સાંભળે છે અને એટલે જ હું ગૌરવભેર કહી શકું છું કે, તું આ ગુડબાયની દરેક ક્ષણ માટે લાયક છે, મારા પ્રેમ.” આ દુર્લભ અને શાંત પળો દર્શાવે છે કે વિરાટ અને અનુષ્કા માત્ર કારકિર્દીમાં જ નહીં પણ જીવનના આધ્યાત્મિક માર્ગે પણ એકસાથે આગળ વધી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

virat kohli viral video Virat Kohli retirement premanandi viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ