બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાજપ-AAPની ચેલેન્જ વચ્ચે હવે કોંગ્રેસે ઝંપલાવ્યું, પરંતુ ઋષિકેશ પટેલ મૌન
Last Updated: 01:15 PM, 14 July 2025
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા છે. તો બીજી તરફ મોરબીમા કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓને વારંવાર અધિકારીઓએ સમજાવવાના પ્રયાસો ચાલુ કર્યા છે. તમામ 25 લોકોને લઈને અંદર આવો અમે તમારી રજૂઆત સાંભળશું. કોગ્રેસના કાર્યકર્તા અને નેતાઓને એક જ માંગ છે. મોરબી મહાનગર પાલિકા કમિશ્નર અમારી સામે આવે અમે કમિશ્નર સાથે જ વાત કરીશું. મોરબી કમિશ્નર હાઈ હાઈના નારા લાગ્યા હતા. પોલીસ અને મોરબી કોંગ્રેસ વચ્ચે સતત ઘર્ષણ ચાલુ છે.
ADVERTISEMENT
મોરબીમાં ચેલેન્જ પોલિટિક્સ વચ્ચે આજે કોંગ્રેસનો વિરોધ, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ મુદ્દે મનપાનો ઘેરાવ#KantilalAmrutiya #KantiAmrutiya #GopalItalia #MorbiMLA #VisavadarMLA #BJPGujarat #AAPGujarat #ViralVideo #VTVDigital pic.twitter.com/0QJ7sf4c1s
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2025
મનપામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રવેશ આપ્યો
ADVERTISEMENT
મોરબીમાં વિકાસને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. મનપામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રવેશ આપ્યો હતો. પોલીસની સમજાવટ બાદ 40 થી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. લલિત કગથરા, કિશોર ચિખલીયા સહિતના નેતાઓએ મહાનગર પાલિકા કમિશ્નરને રજૂઆત કરી હતી.
'બંનેએ લોકોના કામ કરવા જોઈએ', ગોપાલ-કાંતિભાઈના ડ્રામા પર વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન#KantilalAmrutiya #KantiAmrutiya #GopalItalia #MorbiMLA #VisavadarMLA #BJPGujarat #AAPGujarat #ViralVideo #VTVDigital pic.twitter.com/OIHRyRNs4T
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2025
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજીનામાની ચેલેન્જ વચ્ચે AAPના પ્રવિણ રામનો દાવો, 'ગોપાલ ઇટાલિયાએ ક્યાંય પણ રાજીનામાની વાત...'
ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છેઃઋષિકેશ પટેલ
ADVERTISEMENT
ચેલેન્જ પોલિટિક્સ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, ચેલેન્જની રાજનીતિ નથી, વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છે. કાંતિ અમૃતિયા સાથે આ મુદ્દે વાત કરશે કે નહી તે મુદ્દે મૌન છે.
ચેલેન્જ પોલિટિક્સ પર બોલ્યા પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ, કહ્યું ચેલેન્જની નહીં વિકાસની રાજનીતિ છે#KantilalAmrutiya #KantiAmrutiya #GopalItalia #MorbiMLA #VisavadarMLA #BJPGujarat #AAPGujarat #ViralVideo #VTVDigital pic.twitter.com/4kIpRcnzaG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2025
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કાંતિ અમૃતિયા તો સચિવાલય પહોંચી ગયા, તો ગોપાલ ઇટાલિયાનું સ્ટેટસ શું છે?
બંને ધારાસભ્યોએ લોકોના કામ કરવા જોઈએઃ શંકર ચૌધરી
ADVERTISEMENT
તેમજ વિધાનસભા અધ્યક્ષે પણ આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતુ કે, કાંતિ અમૃતિયા કે ગોપાલ ઈટાલિયાએ સંપર્ક કર્યો નથી. તેમજ મારી પાસે આવો કોઈ વિષય આવ્યો નથી. બંને ધારાસભ્યોએ લોકોના કામ કરવા જોઈએ. રાજીનામા અંગે બંનેમાંથી કોઈએ અધ્યક્ષનો સંપર્ક કર્યો ન હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.