બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Sonia Gandhi speaks on corona crisis - not the system, but the Modi government has failed
ADVERTISEMENT
કોંગ્રેસ સંસદીય દળની વર્ચ્યુઅલ મિટિંગ કરી
દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે સોનિયા ગાંધીએ શુક્રવારે કહ્યું કે કોઈ સિસ્ટમ નિષ્ફળ નથી ગઈ કારણકે ભારત પાસે ઘણી તાકાત અને સંસાધનો છે. ગાંધીએ કોંગ્રેસ
સંસદીય દળની વર્ચ્યુઅલ મિટિંગમાં કહ્યું હતું કે મોદી સરકાર આ સંસાધનોનો રચનાત્મક રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે. ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં હમણાં જ યોજાયેલ ચૂંટણીનાં પરિણામો પર સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ કાર્ય સમિતિ ચુંટણી પરિણામનું વિશ્લેષણ કરશે.

ADVERTISEMENT
આ "સરકાર વિરુદ્ધ" ની લડાઈ નથી. પણ આ "કોરોના વિરુદ્ધ"ની લડાઈ છે.
મનમોહન સિંહ, રાહુલ ગાંધી દ્વારા PM નરેન્દ્ર મોદીને લખવામાં આવેલા પત્રોનો ઉલેખ્ખ કરતાં કહ્યું કે, પાર્ટી અધ્યક્ષે જણાવ્યું કે એવું લાગે છે કે આ બધા જ ઉપયોગી સૂચન બહેરા લોકોનાં કાન પાસે કર્યા હોય તેવું લાગે છે કારણકે તે પત્રો પર કોઈ સાર્થક પ્રતિક્રિયા આવી નથી. તેમણે કહ્યું કે આ "સરકાર વિરુદ્ધ" ની લડાઈ નથી. પણ આ "કોરોના વિરુદ્ધ"ની લડાઈ છે. સોનિયાએ કહ્યું કે કોંગ્રેસ સ્થાનિક સમિતિની બેઠકની માંગણી કરે છે. આ સંકટમાંથી બહાર નીકળવા માટે સક્ષમ, શાંત, અને દૂરદર્શી નેતૃત્વની જરૂર પડે છે.

ADVERTISEMENT
35,000 કરોડ રૂપિયા રસી માટે ફાળવ્યા હોય તો રાજય સરકાર શા માટે રસીનો ખર્ચ ભોગવે?
મોદી સરકારની ઉદાસીનતા અને અક્ષમતાને કારણે આજે આખું રાષ્ટ્ર ડૂબી રહ્યું છે. વધુ માં તેમણે કહ્યું કે, અમારા માટે પોતાનાં લોકોને ભેગા કરવાનો અને તેમની સેવા માટે સમર્પિત થવાનો સમય છે. વેક્સિનને લઈને સરકારની નિંદા કરતાં આગળ કહ્યું કે સરકારે 2021નાં બજેટમાં 35,000 કરોડ રૂપિયા રસી માટે ફાળવ્યા હતા, તેમ છતાંય રસીકરણનાં ત્રીજા ચરણમાં રાજ્ય સરકારોને રસીનો ખર્ચ ભોગવવાનું કહેવામાં આવી રહ્યું છે. સોનિયા એ કહ્યું "મોદી સરકારની રસીકરણ માટેની આ નીતિ લાખો દલિતો, આદિવાસીઓ, અન્ય વર્ગો સાથે સાથે ગરીબોને હાંસિયાની બહાર ધકેલી દેશે. મોદી સરકાર પોતાની નૈતિક ફરજો અને લોકો પ્રત્યેનું કર્તવ્ય ભૂલી એ ઘણું ચોંકાવનારું છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.