બ્રેકિંગ ન્યુઝ
આ સાથે તેમણે તમામ રાજકીય પક્ષોની સંમતિથી એક રણનીતિ પણ ઘડવાની માંગ કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, તમામ રાજકીય પક્ષોની સંમતિથી કોરોનાના નિરાકરણ માટે રણનીતિ બનાવવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશને કોરોનાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા દરેક પગલાનું સમર્થન કરશે.
ADVERTISEMENT
कोरोना महामारी के इस चुनौतीपूर्ण समय में आपके व आपके परिवार की सुरक्षा और अच्छे स्वास्थ्य की कामना करती हूं। वह लाखों परिवार जिन्होंने अपने परिजनों को खोया है, उनके प्रति दिल से अपनी संवेदना व्यक्त करती हूं।
— Congress (@INCIndia) May 1, 2021
- कांग्रेस अध्यक्षा, श्रीमती सोनिया गांधी#COVID19India pic.twitter.com/btmCeG8K6B
ADVERTISEMENT
સોનિયા ગાંધીએ કહ્યું, વર્તમાન પરિસ્થિતિ માનવતાને હચમચાવી રહી છે. ક્યાંક ઓક્સિજનનો અભાવ છે, દવાઓની તંગી છે, ઘણી હોસ્પિટલોમાં બેડ નથી. કોંગ્રેસ અધ્યક્ષે લોકોને અપીલ કરી છે કે આ કસોટીનો સમય છે, એકબીજાને મદદ કરો. જ્યારે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો.
"કેન્દ્ર સરકારે ગરીબો વિશે વિચારવું જોઇએ"
ADVERTISEMENT
સોનિયા ગાંધીએ કહ્યું, "હવે સમય આવી ગયો છે કે સરકારો જાગૃત થાય અને પોતાની ફરજો બજાવે. કેન્દ્ર સરકારે ગરીબો વિશે વિચારવું જોઇએ અને સ્થળાંતર અટકે તે માટે કોરોના સંકટ સમાપ્ત ન થાય ત્યાં સુધી 6 હજાર રૂપિયા તેમના ખાતામાં મૂકવા જોઈએ. કોરોના ટેસ્ટિંગમાં વધારો થવો જોઈએ."
"દવાઓની કાળાબજારી અટકાવવી જરૂરી"
ADVERTISEMENT
તેમણે આગળ કહ્યું કે ઓક્સિજન, દવા અને હોસ્પિટલોનું સંચાલન યુદ્ધના ધોરણે થવું જોઈએ. મફત રસીકરણ થવું જોઈએ. કોરોના રસીના ભાવમાં તફાવત ન હોવો જોઈએ. જીવન બચાવવાની દવાઓની કાળાબજારી અટકાવવી જોઈએ. હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન તુરંત પહોંચાડવાની વ્યવસ્થા થવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.