બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:58 PM, 18 September 2025
ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ખુબ ધૂમધામથી ઉજવાય છે. જેમાં દુર્ગા માતાના નવ સ્વરૂપોની પૂજા પણ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ નવરાત્રિનું ખૂબ મહત્વ છે. દર વર્ષે નવ દિવસ સુધી ચાલતો તહેવાર દુર્ગા માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરાય છે. જેમાં દુર્ગા માતા જે વાહન પર સવાર હોય છે તેનું પણ વિશેષ મહત્વ છે. જેમાં તેઓ ઘણીવાર હાથી, ઘોડા અથવા અન્ય કોઈ પ્રાણી પર સવારી કરતા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સવારી કેવી રીતે નક્કી થાય છે? ચાલો તેના રહસ્ય વિષે જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ પ્રસ્થાન સવારીઓ પણ ભવિષ્યના સંકેતો દર્શાવે છે, જેમ કે ભેંસ પર પ્રસ્થાનથી દુઃખ અને રોગનો સંકેત મળે છે, જ્યારે હાથી પર પાછા ફરવાથી સુખ અને સમૃદ્ધિનો સંકેત મળે છે.
ADVERTISEMENT
કેલેન્ડર મુજબ, 2025 માં શારદીય નવરાત્રિ સોમવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે, આથી દુર્ગા માતા હાથી પર સવાર થઈને આવશે. મતલબ કે, આ વર્ષે પુષ્કળ વરસાદ અને સમૃદ્ધિના સંકેત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.