બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જૂની અદાવતમાં જાણીતા ગાયક કલાકાર પર અમદાવાદમાં હુમલો, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Last Updated: 08:54 PM, 31 December 2025
અમદાવાદના વસ્ત્રાપુરમાં ગાયક કલાકાર હરદીલ પંડ્યાએ હુમલો થયો છે. દોઢ વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં માર માર્યો હતો. દોઢ વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં માર માર્યો હતો.આ સમગ્ર બાબતે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
કોની કોની સામે ફરિયાદ નોંધાઈ
આ બાબતે ફરિયાદી ગાયક હરદીલ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જૂના ગીતોના રાઈટ્સના ઝઘડાની અદાવતમાં માર મારતા ફરિયાદ નોંધાવી છે. ગાયક હરદીલ પંડ્યાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શ્યામ સિંધાવત અને પવન પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
ADVERTISEMENT

થોડા સમય પહેલા ડાયરાના કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વિવાદમાં આવ્યા હતા. જે બાદ થોડા દિવસ પહેલા જ 5 મહિના બાદ ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન થયુ હોવાની માહિતી મળી રહી છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો હતો. અમદાવાદમાં સનાથલના ધ્રુવરાજસિંહ પર 12 ઓગસ્ટે થયો હતો હુમલો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. અંતે બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો હતો.
ADVERTISEMENT

શું હતો સમગ્ર મામલો
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામમાં તેમની ફોર્ચ્યુનર કારે કિયા કારને ટક્કર મારી, જેના કારણે અમદાવાદના એક યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ ઘાયલ થયા છે. આ ઘટના પાછળ છ મહિના પહેલા થયેલી જૂની માથાકૂટ હતી. આ અકસ્માત બાદ દેવાયત ખવડ અને તેમના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું હતું, અમદાવાદના સનાથલ ખાતે 20 ફેબ્રુઆરીએ એક ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ ગેરહાજર રહ્યા હતા, જેના કારણે તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય 4 લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ, હુમલો કરનારા આરોપીઓમાંથી એક ભગવતસિંહે દેવાયત ખવડ વિરુદ્ધ ₹8 લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: બંકરમાં છુપાવાનો વારો આવી ગયો હતો' ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીનો મોટો ખુલાસો
ADVERTISEMENT
આ મામલે પોલીસે કાર્યવાહી પણ કરી હતી
ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના ત્રણ મિત્રો ચિત્રાવડ ગામે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસના આધારે દેવાયત ખવડ અને તેમના માણસોએ રેકી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું મનાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.