બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બંકરમાં છુપાવાનો વારો આવી ગયો હતો' ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીનો મોટો ખુલાસો
Last Updated: 04:26 PM, 28 December 2025
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કબૂલ કબુલ કર્યું છે કે, ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના શીર્ષ નેતૃત્વમાં ભયનું વાતાવરણ હતું. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતું. પહેલગામ અટેકમાં 26 નિર્દોષ નાગરિકો મર્યા હતા. જવાબમાં ભારતે મે મહિનાની શરૂઆતમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. જેમાં અનેક આતંકવાદી અને સૈન્ય ઠેકાણે સ્ટ્રાઇક કરાઈ હતી.
ADVERTISEMENT
જેથી હવે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ સમગ્ર ઘટના પર કબૂલ કર્યું છે કે, ભારતીય કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના શીર્ષ નેતૃત્વમાં ભયનું વાતાવરણ હતું. તેમણે કહ્યું કે, ભારતીય હુમલા દરમિયાન તેમના લશ્કરી સચિવે તેમને સુરક્ષા માટે બંકરમાં જવાની સલાહ આપી હતી.
Pakistan President Asif Ali Zardari said that their military was hiding in bunkers during Op Sindoor.
— War & Gore (@Goreunit) December 28, 2025
"Military advised me also to hide inside the bunkers during Op Sindoor." pic.twitter.com/ocGRifm1l5
ADVERTISEMENT
ઝરદારીએ એક કાર્યક્રમમાં બોલતી વખતે કહ્યું કે, "મારા લશ્કરી સચિવ મારી પાસે આવ્યા અને કહ્યું કે યુદ્ધ શરૂ થઈ ગયું છે. તમારે બંકરમાં જવું જોઈએ. પરંતુ મેં ના પાડી." તેમના આ નિવેદનથી સ્પષ્ટ થયું કે ભારતનો હુમલો એટલો ગંભીર હતો કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને પણ સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી હતી.
ભારતે 7 મેના રોજ વહેલી સવારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કાર્યવાહીના ભાગ રૂપ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર અટેક કર્યા હતા. જ્યારે પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાની લશ્કરી ઠેકાણે પણ નિશાન કર્યા હતા. પાકિસ્તાને આ દરમિયાન ભારતના ફાયટર જેટ પાડી દીધા હોવાનો પણ દાવો કર્યો હતો.
ADVERTISEMENT

ઓપરેશન સિંદૂર વખતે યુદ્ધ એવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. ત્યાર બાદ બંને દેશોએ યુદ્ધવિરામ જાહેર કર્યું હતું. જેમાં પાકિસ્તાનના DGMOએ ભારતના DGMOનો સંપર્ક કર્યો અને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો જેને ભારતે સ્વીકાર્યો હતો. અને બંને દેશો જમીન, હવા અને સમુદ્ર પર તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા.
ADVERTISEMENT
પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઓપરેશન સિંદૂરથી માત્ર આતંકવાદી નેટવર્ક જ નહીં તેમનું સરકારી તંત્ર પણ બોખલાઈ ગયું હતું. આથી જ તેમને બંકરમાં છુપાવવા ભલામણ કરાઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.