બ્રેકિંગ ન્યુઝ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં શિવસેનાના સંજય રાવતે ભડકીને નિવેદન આપ્યું છે કે ભાજપ વાળા કાગળ ફાડી શકે છે, ફાઈલો ઉપર આગ લગાવી શકે છે પરંતુ 50% 50% સરકાર બનાવવાનો જે વાયદો કર્યો હતો તેને કેવી રીતે ડીલીટ કરી શકશે?
ADVERTISEMENT
રાવતે NDTV સાથે થયેલી વાતચીત દરમિયાન 50% 50%ની ફોર્મ્યુલા અને ભાજપના લેખિત આશ્વાસન અંગે જણાવ્યું હતું કે હજી સુધી બંને પક્ષો વચ્ચે કોઈ રાજનૈતિક વાતચીત કે સંદેશ શરુ થયા નથી. તેમની પાસે બેઠકોના આંકડા છે એમ જ અમારી પાસે બેઠકોના આંકડા છે. અત્યારે આંકડા આંકડાની રમત ચાલી રહી છે.
ADVERTISEMENT
#NDTVExclusive | Shiv Sena's Sanjay Raut speaks to NDTV on Maharashtra assembly elections results.
— NDTV (@ndtv) October 28, 2019
Watch now on https://t.co/hMlRpgrUU6 and NDTV 24x7 https://t.co/Nlr5eqD8Vu
ADVERTISEMENT
જો તેઓ વચન નહિ પાળે તો શું કરશો?
ADVERTISEMENT
આ પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા રામ ભગવાનનો જાપ જપે છે. રામ એટલે સત્ય! જેમ રામ સત્ય વચની હતા એમ ભાજપે પણ વચનભંગ ન કરવો જોઈએ.
મુખ્યમંત્રી બાબતે મૌન?
ADVERTISEMENT
રાવતને જયારે પૂછવામાં આવ્યું કે પક્ષમાંથી મુખ્યમંત્રી પદે ઉમેદવાર કોણ છે તો એ બાબતે તેમણે મૌન સેવીને જવાબ આપ્યો હતો કે આ બાબત પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે.
ઉલ્લેખનીય છે કે આ ચુંટણીમાં મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી છે. બંને પક્ષોએ ગઠબંધનનું એલાન તો કરી દીધું છે પરંતુ આવા નિવેદનોએ બંને પક્ષો વચ્ચેના મતભેદોને સપાટી પર લાવી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.