બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કન્યા પૂજન સમયે ન કરતા આવી ભૂલ, નહીંતર માઁ દુર્ગા દેખાડશે રૌદ્ર સ્વરૂપ!

ધર્મ / કન્યા પૂજન સમયે ન કરતા આવી ભૂલ, નહીંતર માઁ દુર્ગા દેખાડશે રૌદ્ર સ્વરૂપ!

Jinal Chauhan

Last Updated: 02:05 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમાં કન્યા પૂજનનું વિશેષ રીતે મહત્વ રહેલું છે.આમ, કન્યા પૂજનનાં દિવસે તમે આ નાની-મોટી ભૂલો કરો છો તો પુણ્ય મળતું નથી.

શારદીય નવરાત્રીનું પર્વ 22 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થઇ ગયુ છે. આ દરમિયાન મા દુર્ગાનાં અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી અષ્ટમી અને નવમી તિથિનાં રોજ વિશેષ રૂપથી કન્યા પૂજન કરવામાં આવે છે. આ દિવસને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ ખાસ દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે. આ દિવસે ભક્તો નવ કન્યાઓ અને એક બાળકને ભોજન કરાવે છે. પરંતુ શું તમને ખબર છે કે જો પૂજા દરમિયાન નાની મોટી ભૂલો થઈ જશે તો તમને પૂજાનું ફળ નહીં મળી શકે.

આ ભૂલો ક્યારેય ન કરશો

કન્યા પૂજન દરમિયાન તમારા ઘરે આવતી છોકરીઓને ભેટ તરીકે તમે જે કંઈ પણ આપો છો, તે કાળા રંગથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. કાળી વસ્તુઓ ભેટમાં આપવી એ અશુભ માનવામાં આવે છે.

vtv_app_add.width-800

આ પણ વાંચોઃ Kanya Puja Vidhi: નવરાત્રિમાં હવે કન્યા પૂજનની ઘડી, શું છે વિધિ અને તેના નિયમ?

આવી ભેટ ન આપશો

લોકો ઘણીવાર કન્યા પૂજન પછી સ્ટીલના વાટકા કે થાળી ભેટમાં આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પણ યોગ્ય નથી. જો તમારે ભેટ આપવી જ પડે, તો સ્ટીલને બદલે અન્ય ધાતુઓથી બનેલા વાસણો ભેટમાં આપી શકો છો.

લોખંડની વસ્તુઓ ભેટમાં આપવાનું ટાળો. કન્યા પૂજન દરમિયાન આમ કરવાથી શનિ દોષ આવે છે. ભેટ ખરીદતી વખતે હંમેશા આ વાત ધ્યાનમાં રાખો.

ભેટમાં ચામડાની વસ્તુ ન આપશો

કન્યા પૂજન પછી ભેટ આપતી વખતે, ધ્યાનમાં રાખો કે ભૂલથી પણ તમારે ચામડાનો ઉપયોગ કરતી કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ.

સાત્વિક ભોજન કરાવો

કન્યા પૂજનમાં હંમેશા સાત્વિક ભોજન કરાવો. આનો મતલબ એ છે કે આમાં ડુંગળી, લસણ તેમજ બીજા કોઇપણ પ્રકારનાં તામસિક ભોજનનો ઉપયોગ કરશો નહીં.

કન્યા પૂજન દરમિયાન ભોજન હંમેશા સ્વચ્છ સ્થાન પર કરાવો. તમે ગંદી જગ્યાએ ભોજન કરાવો છો તો પાપની જગ્યાએ પુણ્ય મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

Shardiya Navratri 2025 Kanya Pujan Kanya Pujan Rules
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ