બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Shani Upay year 2024 keep these five things in mind related to shani dev

Shani Upay / શનિની સાડાસાતી-ઢૈય્યાથી મળશે તુરંત છૂટકારો, 2024 શરૂ થતાં જ આ 5 ચીજોને પોતાની પાસે રાખી લો

Arohi

Last Updated: 12:28 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Upay Year 2024: વર્ષ 2024 આવવાનું છે અને જો તમે શનિથી વર્ષ 2023માં પરેશાન રહ્યા છો. તો હવે આગામી નવ વર્ષમાં શનિદેવ સાથે જોડાયેલી આ 5 વસ્તુઓનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારી દરેક પીડાથી તમને જલ્દી મુક્તિ મળી જશે.

  • વર્ષ 2024માં કરો આ ઉપાય
  • શનિદેવ નહીં કરે પરેશાન 
  • સાડેસાતી અને ઢૈય્યાથી મળશે છુટકારો

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવ કર્મના અનુસાર ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. તેમની કૃપા જેમના પર રહે છે તેમના જીવનમાં ચાલી રહેલી દરેક મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. તમને બધાને ખબર છે કે વર્ષ 2023 પૂર્ણ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને તેના બાદ નવુ વર્ષ 2024 શરૂ થવા જઈ રહ્યું છે. આ વર્ષે શનિ ગ્રહે ઘણા ફેરફાર કર્યા છે. કુંભ રાશિમાં પ્રવેશ કર્યા બાદ પણ તે પહેલા વક્રી થયા તેના બાદ હાલમાં જ નવેમ્બર 2023માં માર્ગી પણ થયા છે.

કર્મ અનુસાર મળે છે ફળ 
શનિદેવ આમ તો જલ્દી કોઈનાથી રિસાતા નથી. જ્યાં સુધી તમારા કર્મ સારા છે તે શુભ જ ફળ આપે છે. ત્યાં જ અમુક વસ્તુઓ જ્યોતિષ શાસ્ત્રમાં એવી જણાવવામાં આવી છે કે તેને જોવાથી અને તેનો પ્રયોગ કરવાથી શનિદેવ જલ્દી શુભ ફળ આપે છે. આ વર્ષે વર્ષ 2024મા શનિ દેવનો આશીર્વાદ મેળવવા માટે અમુક વસ્તુઓને નોટ કરી લો અને નવું વર્ષ શરૂ થતા પહેલા તમે તેને તમારા ઘરે લઈ આવો. 

વર્ષ 2024માં ઘરે લાવો આ 5 વસ્તુઓ 
શનિ યંત્ર 

જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગો છો તો નવા વર્ષ 2024માં તમે પોતાના ઘરમાં શનિદેવના યંત્રને સ્થાપિત કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો શનિદેવના યંત્રની સ્થાપના ઘરમાં વિધિ પૂર્વક સંકલ્પ લઈને કરે છે. તેનાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે. 

સાત મુખી રૂદ્રાક્ષ 
શિવ પુરાણ અનુસાર સાત મુખી રૂદ્રાક્ષ જે લોકો ધારણ કરે છે. તેમને શનિદેવનો પ્રકોપ નથી સહન કરવો પડતો. આ રૂદ્રાક્ષ મહાલક્ષ્મીનું સ્વરૂપ છે તેની સાથે જ જે લોકો તેને ધારણ કરે છે કે ઘરના મંદિરમાં મુકીને તેની પૂજા કરે છે. તેમને શનિ દેવ ધન-વૈભવના આશીર્વાદ આપે છે. 

નીલમ રત્ન 
શનિદેવને સૌથી પ્રિય નીલમ રત્ન છે. જો તમે નીલમ રત્ન ધારણ કરવા માંગો છો તો કોઈ યોગ્ય જ્યોતિષની સલાહ લઈને તેને ધારણ કરો. જો તમે રત્ન ધારણ નથી કરવા માંગતા તો તમે મંદિરમાં મુકીને તેની પૂજા કરો અને શનિ મંત્રનો જાપ કરો. મંત્ર છે- ॐ शम शनिश्चरा नमः। 

લોખંડની વીંટી 
શનિદેવની પ્રિય ધાતુ લોખંડ છે. માન્યતા છે કે લોખંડની વીંટી મધ્યમા આંગળીમાં પહેરવાથી શવિદેવ પોતાનો દુષ્પ્રભાવ નહીં બતાવે. તેને પહેરવા માત્રથી શનિદેવ સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર તાય છે. જો તમે લોખંડની વીંટી ધારણ કરવા માંગો છો તો તેને શનિવારના દિવસે ધારણ કરો. 

શમીના મૂળ 
આમ તો શમીનો છોડ શનિદોષથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. પરંતુ જો તમે શમીનો છોડ ઘરમાં કોઈ કારણે નથી લગાવી શકતા અને શનિદેવને તમે પ્રસન્ન કરવા માંગો છો. તેના માટે એક નાનકડો ઉપાય કરીને પણ તમે શમીના વૃક્ષ લગાવવા જેવો જ લાભ મેળવી શકો છો. 

નવું વર્ષ શરૂ થતા પહેલા તમે શનિવારના દિવસે સવારે સ્નાન કરી તેના મૂળને કાળા વસ્ત્ર કે વાદળી વસ્ત્રમાં બાંધીને પોતાના હાથમાં બાંધી શકો છો. આ ઉપાયથી પણ શનિદેવ તમારા પર કૃપા વરસાવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ