ભાવનગરના તળાજા માં ધારાસભ્ય કનુ બારૈયા ની 35 લાખની ગ્રાન્ટમાંથી તળાજા ના નગરજનો માટે એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિ.
રાજ્યસભા સાંસદ શક્તિસિંહના પ્રહાર
ભાજપને 'તરભાણુ ભરાય' તેમાં જ રસ
ભાવનગરના તળાજામાં ઉપસ્થિતિ
ભાવનગરના તળાજા માં ધારાસભ્ય કનુ બારૈયા ની 35 લાખની ગ્રાન્ટમાંથી તળાજા ના નગરજનો માટે એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અહીં આવેલા શક્તિસિંહ ગોહિલએ 5 રાજ્યોની ચૂંટણી અંગે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા શક્તિસિંહએ જણાવ્યું કે ભાજપને માટે રામનો મરે કે રહીમનો મરે તેની ચિંતા નથી. તેને તેનું તરભાણુ ભરાય તેમાં જ રસ છે તેમને એમ પણ કહ્યું કે ઉત્તરપ્રદેશમા ભાજપનું ઘર સળગ્યું છે અને વધુ નુકશાનીના થાય તે માટે ભાજપ કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે પણ ચૂંટણી લાવ્યું છે'
भावनगर जिले के तलाजा से हमारे साथी विधायक श्री @MlaBaraiya जी की ग्रांट में से तलाजा क्षेत्र के लोगों की सेवा में अतिआधुनिक सुविधाओं से युक्त ICU एम्बुलेंस का उद्घाटन समारोह कार्यक्रम में गुजरात प्रदेश कोंग्रेस के अध्यक्ष श्री @jagdishthakormp, (1/2) pic.twitter.com/5NvXBIuH3I
ભાવનગર ના તળાજા ખાતે તળાજા વિસ્તાર ની જનતા ની સેવામાં સુવિધા યુક્ત એમ્બ્યુલન્સ નો લોકાર્પણ સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ની ગ્રાન્ટ માંથી આ એમ્બ્યુલન્સ પ્રજા હિટ માટે અર્પણ કરાઈ હતી આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,રાજ્યસભાના સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલ,તેમજ રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર સહિત ના મહાનુભાવો હાજર રહયા હતા
આ પ્રસંગે ભાવનગર શહેર અને જિલ્લાના કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો મોટી સનખ્યામાં હાજર રહ્યા. હતા. આ એમ્બ્યુલન્સ લોકાર્પણ સમારોહ મા આવેલા મહાનુભાવો એ વિકાસ ના મુદ્દા ને લઈ ને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા બીજી લહેરમાં લોકો એ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો તેવા સમયે ધારાસભ્ય કનું બારૈયા એ પોતાની ગ્રાન્ટ માંથી આ આઈ સી યુ એમ્બ્યુલન્સ લોકો માટે ફાળવતા આગેવાનો એ તેમને શુભેચ્છા પાઠવી હતી