જગન્નાથપૂરી મંદિરની મહિમા તથા ચમત્કાર દુનિયામાં પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે આ મંદિરની ઉપરથી કોઈ વિમાન કે પક્ષી ઉડી શકતું નથી. આ ઉપરાંત આ મંદિરનો ધ્વજ પણ હવાથી વિપરીત લહેરાય છે.
જગન્નાથ પૂરી ચાર ધામોમાંનું એક છે.આ હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થાન છે. અહિંયા આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. આ મંદિરની મહિમા તથા ચમત્કાર દુનિયામાં પ્રસિદ્ધ છે. જાણીએ જગન્નાથ પૂરી મંદિર સાથે જોડાયેલા આશ્ચર્યજનક તથ્યો તથા અદ્ભૂત ચમત્કાર વિષે.
— Shree Jagannatha Temple Office, Puri (@SJTA_Puri) January 3, 2022
મંદિરની ઉપરથી નથી ઉડી શકતું કોઈ પણ વિમાન:
જગન્નાથ પૂરી મંદિર વિષે માન્યતા છે કે તેની દેખરેખ ગરુડ પક્ષી કરે છે. ગરુડને પક્ષીઓનો રાજા માનવામાં આવે છે. આવાંમાં અન્ય પક્ષી આ મંદિરની ઉપરથી ઉડતાં નથી. ઉપરાંત જગન્નાથ પૂરી મંદિરના ઉપરી હિસ્સામાં આઠ ધાતુઓથી બનેલ એક ચક્ર લાગેલ છે જેને નીલચક્ર કહેવામાં આવે છે. માન્યતા છે કે આ ચક્ર મંદિરની ઉપરથી ઉડવા વાળા હવાઈ જહાજોમાં રુકાવટ પેદા કરે છે. એટલા માટે આ મંદિરની ઉપરથી કોઈ પણ વિમાન ઉડી શકતું નથી.
— Shree Jagannatha Temple Office, Puri (@SJTA_Puri) January 16, 2022
હવાની વિપરીત દિશામાં લહેરાય છે ધ્વજ:
સામાન્ય રીતે કોઈ પણ ધ્વજ હવાને અનુકુળ લહેરાતો હોય છે પરંતુ આ મંદિરનાં શીર્ષ પર લાગેલો ધ્વજ હવાની વિપરીત દિશામાં લહેરાય છે. ધ્વજના આ રહસ્યથી વૈજ્ઞાનિકો પણ હેરાન છે.
મંદિરનું પ્રવેશ દ્વાર છે અદ્ભુત:
જગન્નાથ પૂરી મંદિરમાં ચાર દરવાજા છે. મુખ્ય દ્વારને સિંહદ્વારમ કહેવાય છે. કહેવાય છે કે આ દ્વારથી મંદિરના પ્રવેશ દ્વાર પર સમુદ્રની લહેરોનો અવાજ સંભળાય છે પરંતુ મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ લહેરોનો ઘોંઘાટ સમાપ્ત થઇ જાય છે.
— Shree Jagannatha Temple Office, Puri (@SJTA_Puri) January 8, 2022
પ્રાસાદમ પકવવાની પરંપરા છે અનોખી:
ભગવાનને ભોગ ચઢાવવા માટે પ્રાસાદમ પકવવાની પરંપરા છે. પ્રાસાદમ પકવવા માટે સાત વાસણો એક બીજા પર ચઢાવવામાં આવે છે. પહેલાં સૌથી ઉપર વાળા વાસણનો પ્રસાદ તૈયાર થાય છે. ત્યાર પછી ક્રમશઃ અન્ય વાસણોના પ્રસાદ તૈયાર થાય છે. હેરાન કરી દેવા વાળી વાત એ છે કે પ્રાસાદમ પકવવા માટે બળેલી લાકડીઓનો વપરાશ કરવામાં આવે છે.