બ્રેકિંગ ન્યુઝ
KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત
કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
Last Updated: 12:04 PM, 1 May 2024
જો તમે પણ શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ કે કમોડિટી માર્કેટમાં રોકાણ કરો છો તો આ ખબર તમારા કામની છે. લગભગ 1.3 કરોડ ડીમેટ એકાઉન્ટને હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. તેનો સીધો મતલબ એ થયો કે જેનું પણ એકાઉન્ટ હોલ્ડ પર છે તે તેના દ્વારા કોઈ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે.
ADVERTISEMENT
KYC રજીસ્ટ્રેશન કરનાર સંસ્થા KRAએ આ વિશે જાણકારી આપી છે. KYCની તરફથી જણાવવામાં આવ્યું છે કે સેબીના દાયરામાં આવતા લગભગ 11 કરોડ રોકાણકારોમાંથી 1.3 કરોડ ખાતા ઓનહોલ્ડ છે. એટલે કે હવે આ રોકાણકાર વગર KYCએ શેર, મ્યુચ્યુઅલ ફંડ અને કમોડિટીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે.
ADVERTISEMENT
નહીં મળે રોકાણ કરવાની પરવાનગી
જાણકારી અનુસાર 1.3 કરોડ ખાતા અલગ અલગ કારણોથી સેબીના નિયમોના અનુસાર નથી. પાંચ કેઆરએની તરફથી જાહેર પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે જેનું KYC યોગ્ય રીતે નથી કરવામાં આવ્યું તેમને શેર, કમોડિટી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. ઘણા રોકાણકારોના KYCમાં PAN અને આધાર કાર્ડની યોગ્ય જાણકારી ન હતી.
આટલું જ નહીં બન્નેને એક બીજા સાથે લિંક પણ નથી કરવામાં આવ્યા. એવું એટલા માટે થયું કારણ કે પહેલા KYC માટે વિજળી બિલ ટેલીફોન બિલ કે બેંક સ્ટેટમેન્ટને સ્વીકાર કરવામાં આવતું હતું. પરંતુ હવે સેબી આ દસ્તાવેજોને મંજૂરી નથી આપતું. આ કારમે KYCને રીક્લાસીફાઈ કરવાની જરૂર પડી.
KYCને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યું
1 એપ્રિલથી KYCના નિયમોને લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર KYC સંસ્થા KRAએ બધા રાકાણકારોના KYCને ત્રણ ભાગોમાં વહેચી દીધા છે. તેમાં પહેલો વેલિડેટેડ, બીજો રજીસ્ટર્ડ અને ત્રીજો ઓન હોલ્ડ છે.
વધુ વાંચો: મેના પ્રથમ દિવસે મોંઘવારીમાં મળી રાહત: સસ્તો થયો LPG સિલિન્ડર, જાણો લેટેસ્ટ રેટ
ત્રણેય ભાગો એ આધાર પર કરવામાં આવ્યા છે કે રોકાણકારે KYCમાં પોતાનું PAN, આધાર, ઈમેલ અને મોબાઈલ નંબરની જાણકારી આપી છે કે નહીં. આવા રોકાણકાર જેના KYCનું વેલિડેટ કરવામાં આવ્યું છે તેમને કંઈ કરવાની જરૂર નથી અને તે પોતાના ઈનવેસ્ટમેન્ટને ચાલું રાખી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT