બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / SBI Amrit Kalash FD Investment Deadline Extended

રોકાણ / SBI ગ્રાહકો માટે સારા સમાચાર, અમૃત કલશ FD ની સ્કીમની સમય મર્યાદામાં કરાયો વધારો

Vidhata

Last Updated: 10:59 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI ની વેબસાઇટ પર આપેલી જાણકારી અનુસાર, અમૃત કળશ FDમાં રોકાણની સમયમર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. આ FDમાં રોકાણકારોને 7.60 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ અમૃત કળશ FDમાં રોકાણ માટે સમયમર્યાદા લંબાવી દીધી છે. હવે આ ખાસ FDમાં રિટેલ રોકાણકારો 30 સપ્ટેમ્બર, 2024 સુધી રોકાણ કરી શકે છે. આ બેંકની સૌથી વધુ વ્યાજ આપતી FD છે. જેમાં સામાન્ય રોકાણકારોને 7.10 ટકા અને વરિષ્ઠ રોકાણકારોને 7.60 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે SBIની 400 દિવસની FD પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જયારે વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ યોજનામાં રોકાણની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

સમય પહેલા ઉપાડ 

SBIની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આ FDમાં સમય પહેલા ઉપાડની સુવિધા પણ આપવામાં આવે છે. જો કે, આ માટે 0.5 ટકાથી 1 ટકા સુધીનો દંડ ભરવો પડશે. આ એફડીમાં માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક અને મેચ્યોરિટી પર વ્યાજ ચૂકવવામાં આવે છે.

SBI FD માં વ્યાજ દર 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામાન્ય રોકાણકારોને FD પર 3.5 ટકાથી 7.1 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. જયારે વરિષ્ઠ રોકાણકારોને 4 ટકાથી 7.50 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો: નવરાત્રિના પહેલા દિવસે શેરબજાર ઓલ ટાઈમ હાઈ લેવલ પર, સેન્સેક્સ પહેલીવાર 75,000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

SBI FD દરો

  • 7 દિવસથી 45 દિવસ - 3.5 ટકા
  • 46 દિવસથી 179 દિવસ - 4.75 ટકા
  • 180 દિવસથી 210 દિવસ - 5.75 ટકા
  • 211 દિવસથી 1 વર્ષથી ઓછા - 6 ટકા
  • 1 વર્ષથી 2 વર્ષથી ઓછા - 6.8 ટકા
  • 400 દિવસની FD - 7.1 ટકા
  • 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછું - 7 ટકા
  • 3 વર્ષથી લઈને 5 વર્ષથી ઓછું - 6.75 ટકા
  • 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધી -6.5 ટકા
  • બેંક તેની તમામ FD પર વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ