બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ચોટીલા હાઈવે પર ભયાનક અકસ્માત,મોરબીના મહંત-પત્નીનું ઘટનાસ્થળે કરૂણ મોત

સુરેન્દ્રનગર / ચોટીલા હાઈવે પર ભયાનક અકસ્માત,મોરબીના મહંત-પત્નીનું ઘટનાસ્થળે કરૂણ મોત

Bijal Vyas

Last Updated: 08:00 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 6 એપ્રિલના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. ગોપી હોટલ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ભયંકર રીતે અથડાતા મોટો અકસ્માત થયો...

આજે 6 એપ્રિલના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. ગોપી હોટલ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ભયંકર રીતે અથડાતા મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કાર સાયલાથી ચોટીલા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. કારમાં સવાર મૃતકોની ઓળખ મોરબીના શકત શનાળા સ્થિત શક્તિ માતાના મંદિરના મહંત મનસુખગીરી ગોસ્વામી અને તેમના પત્ની વૈશાલીબેન ગોસ્વામી તરીકે થઈ છે. કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી, જેમાં દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચોઃ આરોગ્ય,પાણી, રસ્તા, પ્રોપર્ટી ટેક્સ,વિશેષ ભાર, અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો

આ સમગ્રની ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. અકસ્માત થયેલો જોઇ હાઈવે પરના લોકોની ભીડ ઉમટી પડી હતી. આ ઘટનાની પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar sayla chotila highway accident morbi mahant mansukhgiri goswami death
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ