બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:45 PM, 10 August 2026
સંસદના મોન્સૂન સત્રમાં કેન્દ્ર સરકારે ખાણો અને ખનિજો સંબંધિત નિયમોમાં મહત્વના ફેરફારો કરતું એક બિલ રજૂ કર્યું છે. જો આ કાયદો બની જાય તો રાજ્ય સરકારો મિનરલ રાઇટ્સ પર કોઈ વધારાનો ટેક્સ નહીં લગાવી શકે. આ બિલનું નામ ‘માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ બિલ 2026’ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખનિજો પર ટેક્સ લગાવવાની રાજ્યોની સત્તાને લીમીટેડ કરવાનો અને કેન્દ્ર સરકારનું નિયંત્રણ વધારવાનો છે.
ADVERTISEMENT
લોકસભામાં આ બિલ કોલસા અને ખાન મંત્રી જી. કિશન રેડ્ડીએ રજૂ કર્યું હતું. આ બિલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, “રાજ્ય સરકાર ખનિજ અધિકારો પર કોઈ ટેક્સ, સેસ કે આવા કોઈ અન્ય ચાર્જ નહીં લગાવે.” આ જોગવાઈઓ માત્ર ખનિજો પૂરતી જ નહીં, પરંતુ ખનિજવાળી જમીનો પર પણ લાગુ પડશે.
આ બિલ 2024ના સુપ્રીમ કોર્ટના તે નિર્ણય બાદ લાવવામાં આવી રહ્યું છે જેમાં 9 જજોની બેન્ચે રાજ્યોના તે અધિકારને સાચો ઠેરવ્યો હતો જેના હેઠળ તેઓ MMDR એક્ટ હેઠળ રોયલ્ટીથી અલગ ખનિજ અધિકારો પર ટેક્સ લગાવી શકતા હતા. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે રોયલ્ટી કોઈ ટેક્સ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
બિલમાં સ્પષ્ટ જોગવાઈ છે કે રાજ્ય સરકારો ખનિજ અને ખનિજવાળી જમીનો પર કોઈ ટેક્સ, સેસ કે લેવી નહીં લગાવી શકે. હવે રાજ્ય સરકારો ઇચ્છે તો પણ ખનિજ અધિકારો પર વધારાનો ટેક્સ નહીં લગાવી શકે.
ADVERTISEMENT
આ બિલમાં પ્રસ્તાવ છે કે સંશોધિત MMDRA લાગુ થાય તે પહેલાં જો રાજ્ય સરકાર પાસે ટેક્સ, સેસ અથવા લેવી જમા ન થઈ હોય તો તે વસૂલવામાં નહીં આવે. એટલે કે જૂના ટેક્સ, સેસ કે લેવીને હવે અમાન્ય માનવામાં આવશે. જોકે, કાયદો લાગુ થાય તે પહેલાં જે રકમ જમા થઈ ચૂકી હોય તે પરત કરવામાં નહીં આવે.
ADVERTISEMENT
હાલના કાયદામાં ખનિજવાળી જમીન ખાણોના રેગ્યુલેટરી માળખામાં સામેલ નથી. પણ નવા બિલમાં પ્રસ્તાવ છે કે જે જમીનમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા માપદંડો અનુસાર ખનિજ હોય, તેને ‘ખનિજવાળી જમીન’ માનવામાં આવશે. આમ આ જમીનને કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રસ્તાવ છે.
ADVERTISEMENT
આ બિલ રજૂ કરતી વખતે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે ખનિજો પર ટેક્સ અને લેવી લગાવવામાં કોઈ પણ પ્રકારની ક્ષેત્રીય અસમાનતાની અસર જનહિત પર પડે છે. જો વધુ પડતા ટેક્સ અને લેવી અસંતુલિત રીતે લગાવવામાં આવે તો ઉદ્યોગ સ્થાનિક સપ્લાય લાઇનને સંપૂર્ણરીતે અવોઇડ કરી શકે છે. આથી માર્કેટનો વિકાસ યોગ્ય રીતે ન થઈ શકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે અને પ્રદૂષણ પણ વધે.
તેમને વધુમાં કહ્યું કે ભલે આપણી પાસે ખનિજોના પૂરતા સ્થાનિક સંસાધનો હોય, પણ ઘરેલું સપ્લાય મોંઘી હોવાને કારણે ખનિજની આયાતમાં વધારાનું જોખમ પણ રહે છે.
તેમને ઉમેર્યું કે ટેક્સનો વધુ પડતો બોજ આખરે માલસામાનની કિંમત વધારી શકે છે અને તેના પરિણામે દેશના સામાન્ય નાગરિકો માટે પાયાની વસ્તુઓની કિંમત પણ વધી શકે છે. જો રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ (જૂના સમયથી લાગુ થતો ટેક્સ) લગાવવામાં આવે તો તેનાથી રોકાણકારોનો વિશ્વાસ ઘટી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.